IPS અધિકારી G P સિંહને આસામ એડિશલ DGP (કાયદો અને વ્યવસ્થા) તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. G P સિંહે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)માં 6 વર્ષ ફરજ બજાવી છે અને તેમણે આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં 18 વર્ષ ફરજ બજાવી છે.
નાગરિકતા સંશોધન બિલ મુદ્દે આસામમાં મોટા પાયે હિંસક દેખાવોના પગલે આસામમાં કર્ફ્યુ અને ઈન્ટરનેટ પ્રતિબંધ લાદી દેવાયો છે.
આ પરિસ્થિતિને સુધારવામાં IPS અધિકારી G P સિંહને આસામ એડિશલ DGP (કાયદો અને વ્યવસ્થા) તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. G P સિંહે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)માં 6 વર્ષ ફરજ બજાવી છે અને તેમણે આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં 18 વર્ષ ફરજ બજાવી છે.
1991ની બેચના IPS G P સિંહ આસામ મેઘાલય કેડરના અધિકારી છે. આમ તેમને હવે તેમની મૂળ કેડરની જગ્યાએ ફરી પોસ્ટિંગ મળ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં G P સિંહે જણાવ્યું હતું કે તેઓ આસામમાં શાંતિ અને સામાન્ય પરિસ્થિતિ ફરી વખત સ્થાપિત કરવા ઈચ્છે છે. તેઓ શ્રેષ્ઠ ફરજ બજાવીને આ ધ્યેય હાંસિલ કરવા પ્રયત્ન કરશે.
તેમણે ટ્વીટ કરીને પણ જણાવ્યું હતું કે તેઓ ફરી એક વખત આસામ પાછા ફર્યા છે જે તેમની 'કર્મભૂમિ' છે.
NIAના સૂત્રો પાસે મળેલી વિગત અનુસાર G P સિંહને આસામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા NIAએથી ખસેડીને આસામ એડિશલ DGP (કાયદો અને વ્યવસ્થા) તરીકે મુકવામાં આવ્યા હતા. સરકાર તે સ્થળના જુના અધિકારીને મુકવા ઇચ્છતી હતી જે લોકોને સારી રીતે સમજી શકે અને સ્થિતિ કાબૂમાં રાખી શકે.
ગુવાહાટીમાં આસામ રાઈફલ્સના જવાનોને પણ ખડકી દેવાયા છે. પરિસ્થિતિ બેકાબૂ જવાથી ગુવાહાટી પોલીસ કમિશનર દિપક કુમારની તાત્કાલિક બદલી કરાઈ હતી. આસામમાં 10 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ રદબાતલ કરી દેવાઈ છે.
NIAમાં G P સિંહે શ્રેષ્ઠ કામગીરી કરી હતી
NIAમાં G P સિંહે જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વના રાજ્યો અને પંજાબમાં ચાલતા હથિયારી દળોના કેસીસને સફળતા પૂર્વક સાંભળ્યા હતા.
તેમણે કાશ્મીરમાં આંતકવાદીઓના ફંડિંગની અને 2016 થી 2017માં RSSના સેવકોની હત્યાના 7 કેસીસ પણ સોલ્વ કર્યા હતા. પઠાણકોટ એર બેઝ ઉપરના હુમલાના કેસમાં પણ તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી.
ઉત્તર આસામ, બોડોલેન્ડ અને ગુવાહાટીના IG તરીકે તેમણે United Liberation Front of Assam (ઉલ્ફા) પ્રતિબંધિત સંઘઠન સામે પણ કામગીરી કરી હતી. 2018માં તેમને એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ વડે 2 વર્ષનું એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું.