કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ શનિવારે હૈદરાબાદમાં કહ્યું કે દેશના તમામ રાજ્યોમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દિલ્હી મોડેલ અનુસરવું જોઇએ. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, "હું રાજ્ય સરકાર (તેલંગાણા) ને વિનંતી કરું છું કે કોરોનાગ્રસ્ત લોકોની શોધ અને તપાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તપાસની સંખ્યા જેટલી વધારે છે તેટલી ઝડપથી રોગ નિયંત્રણમાં આવશે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે હું દિલ્હીની વ્યક્તિગત દેખરેખ રાખું છું. દિલ્હીમાં કોરોનાનો રિકવરી દર 84 ટકા છે. બધા રાજ્યોએ દિલ્હી મોડેલનું પાલન કરવું જોઈએ.
કેન્દ્રીય મંત્રીનું તેલંગાણામાં નિવેદન
કેન્દ્રીય મંત્રીએ તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચની મુલાકાત લીધી હતી જેને હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કોરોનાવાયરસ સામેની લડતમાં કેન્દ્ર સરકાર પૂરતી સંખ્યામાં પીપીઈ કીટ અને વેન્ટિલેટર તેલંગાણામાં મોકલશે.
કોવિડ-19ના ઇલાજમાં લાગેલ તબીબોનું રાખવું જોઇએ ખાસ ધ્યાન
રેડ્ડીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કોવિડ-19ના ઇલાજમાં લાગેલ તબીબોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, તમામ દવાખાનામાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે કે નહીં તેની પણ જાણકારી રાખવી જરૂરી છે.