ફર્નિચરને દરેક ઘરનો ખૂબ જ મહત્વનો ભાગ માનવામાં આવે છે. એટલા માટે આજકાલ લોકો પોતાના ઘમાં નવી નવી ડિઝાઇનનું ફર્નીચર રાખવાનું પસંદ કરે છે કારણ કે એનું ઘર ખૂબ જ સુંદર જોવા મળે. જો વાત કરવામાં આવે વાસ્તુ શાસ્ત્રની તો ઘરમાં લાકડાનું ફર્નીચર ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને પરિવારમાં વધારે ખુશી આવે છે. પરંતુ જો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે એનું પાલન કરવામાં ના આવે તો એની ખરાબ અસરથી ઘરમાં સુખ શાંતિ પર ઊંડી અસર પડે છે. જો તમે પણ તમારા ઘરમાં લાકડાંનુ ફર્નીચર રાખવાનું વિચારી રહ્યા છો તો એક વખત આ વાત ચોક્કસથી જાણી લો.
ફર્નીચરને હંમેશા શુભ દિવસે જ ખરીદો. એને શનિવાર મંગળવાર અથવા અમાસના દિવસે ક્યારેય ખરીદવું જોઇએ નહીં. એનાથી ઘરની સુખ શાંતિ ભંગ થાય છે.
એ વાતનું ધ્યાન રાખો કે ફર્નીચરની લાકડી કોઇ પોઝિટીવ ટ્રી ની હોય. જેમ કે શીશમ ચંદન અશોકા સાગવાન સાલ અથવા લીંબડો. એનાથી બનેલું ફર્નીચર ઘરમાં રહેનાર દરેક લોકોને શુભ ફળ આપે છે.
જો ઘરમાં વુડવર્કનું કામ કરાવવાનું હોય તો હંમેશા દક્ષિણ અથવા પશ્વિમ દિશામાં શરૂ કરો અને ઉત્તર પૂર્વમાં પૂર્ણ થાય. આવું કરવાથી ઘરના લોકોની તરક્કી માટે સારું માનવામાં આવે છે. આ ઉપરાંત ફર્નીચર બનાવવા માટે લાકડી હંમેશા શુભ મુહૂર્ત જોઇને ખરીદવું જોઇએ