પંચમહાલના કાલોલમાં ગોકળપુરામાં સ્મશાન યાત્રા નદીમાંથી નીકાળવા લોકોને મજબૂર થવું પડી રહ્યું છે. ગોકળપુરામાં સ્મશાન સુધી જવા માટે કોઇ રસ્તો નથી. જેના કારણે લોકોએ ગોમા નદીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડે છે. આ અંગે તંત્રને અનેક રજૂઆત કરાઇ છે છતાં સમસ્યાનો કોઇ ઉકેલ નથી આવ્યો.
ગોકળપુરા ગામમાં ગોમા નદીમાંથી લોકો સ્મશાનયાત્રા લઈ જઈ રહ્યા છે, સ્મશાન ઘાટ નદીના સામે કાંઠે આવેલું છે. ગોમા નદીમાંથી પસાર થઇને સામે કાંઠે જવા માટે નથી કોઈ રસ્તો નથી. જેને લઇને નદીમાંથી પસાર થવું પડે છે. ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં પુલ બનાવવામાં નથી આવ્યો. તંત્રની ઉપેક્ષાએ ગામલોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે.
મહત્વનું છે કે, સરકાર વિકાસના બણગા ફૂંકી રહી છે પરંતુ અંતરિયાળ ગામોની સ્થિતિ દયજનક બની છે. અંતરિયાળ ગામના લોકો અનેક સુવિધાઓથી વંચિત છે. ગોકળપરા ગામના લોકોની સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા વહેલીતકે લાવવામાં આવે તેવી માંગ છે.