કોરોના વાયરસ મહામારીની વચ્ચે મહારાષ્ટ્રમાં એક અલગ રાજનીતિ ગરમાઈ છે. રાજ્યમાં ધાર્મિક સ્થળોને ખોલવાને લઈને રાજ્યપાલ બીએસ કોશ્યારીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી. જે બાદ નવો વિવાદ શરુ થયો છે. હકિકતમાં ભાજપે મંદિર ખોલવાને લઈને સાંકેતિક ભૂખ હડતાળ કરી રહી છે. જેના પર રાજ્યપાલે પોતાની ચિઠ્ઠીમાં મુખ્યમંત્રીના હિંદુત્વ પર સવાલ ઉઠાવતા શુ તમે અચાનક સેક્યૂલર થઈ ગયા છો? એવું પુછ્યું છે. રાજ્યપાલની આ ભાષાની શિવસેના અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે શિવસેના રાષ્ટ્રપતિ કોવિંદને આ મામલે ચિઠ્ઠી લખીને રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની વિનંતી કરી શકે છે.
રાજ્યપાલ કોશ્યારીને હટાવવાની વિનંતી કરી શકે છે
શિવસેના પોતાના સહયોગી સાથે ચર્ચા કરીને રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખવાનો નિર્ણય લેશે
એનસીપીના શરદ પવારે પણ પીએમને ચિઠ્ઠી લખી
સૂત્રોના જણાવ્યાનુંસાર શિવસેના પોતાના સહયોગી કોંગ્રેસ અને એનસીપી સાથે ચર્ચા કરીને રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખવાનો નિર્ણય લેશે. બીજી તરફ એનસીપીના શરદ પવારે પણ પીએમને ચિઠ્ઠી લખી રાજ્યપાલની આ ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. અને આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે.
રાજ્યપાલ ભગત સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કોવિડ ગાઈડલાઈની સાથે ધાર્મિક સ્થળો ફરી ખોલવા માટે તાત્કાલીક જાહેરાત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું કે એક તરફ સરકાર રેસ્ટોરન્ટ ખોલી રહી છે પણ બીજી તરફ દેવી દેવતાઓના સ્થળોને ખોલવામાં આવ્યા નથી. તમે હિન્દુત્વના મજબૂત પક્ષધર છો. તમે ભગવાન રામની સાવર્જનિક રૂપથી ભક્તિ કરી છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને ટોણો મારતા કહ્યું કે તમે અષાઢી અગિયારસે વિઠ્ઠલ મંદિર ગયા હતા, શું તમે હવે અચાનક સેક્યુલર બની ગયા છો ? જે શબ્દથી તમને નફરત હતી ?
Maharashtra Governor wrote to CM Uddhav Thackeray, seeking re-opening of places of worship with COVID precautions
"I wonder if you're receiving any divine premonition to keep postponing re-opening or you've suddenly turned 'secular' yourselves, the term you hated?" letter states pic.twitter.com/BedTgTSP2d
રાજ્યપાલના પત્રના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ પણ નિવેદનબાજી કરી અને પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ધાર્મિક સ્થળો ખોલવાને લઈને આપનો પત્ર મળ્યો, સરકાર તે વિશે વિચાર કરી રહી છે. પણ અમે મહારાષ્ટ્રની જનતાના જીવન વિશે ચિંતા કરીએ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમે હિન્દુત્વ પર મારા સ્ટેન્ડ વિશે ઉલ્લેખ કયો છે પણ મારે તમારી પાસેથી હિન્દુત્વનું સર્ટીફીકેટ લેવાની જરૂર નથી અને તમારી પાસેથી શીખવાની જરૂર નથી. જે લોકો મારા રાજ્ય અને મુંબઈને POK કહે છે તેમનું હું સ્વાગત કરતો નથી, એ મારું હિન્દુત્વ નથી.
આ મામલામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિવસેના ન હિંદુત્વ ભૂલી છે અને ન ભૂલશે. કાચેન્ડાની જેમ રંગ બદલવો એ હિંદુત્વ નથી. રાઉતે કહ્યું કે શિવસેનાના પ્રાણ છે આત્મા છે હિંદુત્વ અને તે હંમેશા રહેશે. જે લોકોને શિવસેના પર સવાલ ઉઠાવ્યા છે તેમને આત્મનિર્ભર થઈ આત્મચિંતન કરવું જોઈએ. જે ગઠબંધની સરકાર ચાલી રહી છે તે બહું મજબૂત છે અને નિયમોનું સંપૂર્ણ પાલન કરીને ચાલી રહી છે.