એક આદેશ અનુસાર તુર્કી સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે યાત્રાની તારીખથી 14 દિવસ પહેલા બીજો ડોઝ લઈ લેવો જરૂરી છે. ભારતીયોના ક્વોરન્ટાઈન થવાને લઈને બનાવાયો નવો નિયમ.
તુર્કી સરકારે ભારતને લઈને જાહેર કર્યું નિવેદન
યાત્રાની તારીખથી 14 દિવસ પહેલા બીજો ડોઝ લઈ લેવો જરૂરી
ભારતીયોએ આ દેશમાં હવે નહીં થવું પડે ક્વોરન્ટાઈન
તુર્કીએ જાહેરાત કરી છે કે ભારતથી આવનારા યાત્રીઓને હવે શનિવારથી અનિવાર્ય 14 દિવસના ક્વોરન્ટાઈનના નિયમને માનવો પડશે નહીં. આ જાહેરાતની સાથે ભારતથી યાત્રા કરનારા કે છેલ્લા 14 દિવસમાં ભારતમાં રહેનારા 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને વેક્સિનેશન નિયમમાં રાહત અપાશે.
ભારતમાં તુર્કી ગણરાજ્યના દૂતાવાસના સંસ્કૃતિ અને પર્યટન કાર્યાલયે કહ્યું કે ડબલ્યૂએચઓ કે તુર્કી સરકાર દ્વારા જાહેર કરાયેલી વેક્સિન આ છૂટના આધારમાં આવે છે.તેમાં નક્કી કરાયેલી વેક્સિન ફાઈઝર બાયોન્ટેક, સ્પૂતનિક વી અને સિનોવેક છે. એક નિવેદન અનુસાર લોકોએ યાત્રાની તારીખના 14 દિવસ પહેલા બીજી વેક્સિન લીધી હોય તે જરૂરી છે. ભારતીયો માટે કોવિશિલ્ડના બંને ડોઝ ફરજિયાત છે. તેઓએ તુર્કીની યાત્રા કરવા માટે મંજૂરી મેળવવાની રહેશે.
બ્રિટને પણ રેડ લિસ્ટથી કર્યું બહાર
બ્રિટને પણ સ્થિતિને સુધાર્યા બાદ ભારતને ટ્રાવેલ સંબંધિત રેડ લિસ્ટથી હટાવીને એમ્બર લિસ્ટમાં મૂક્યું છે. એમ્બર લિસ્ટમાં રહેનારા દેશના યાત્રીઓને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાતા નથી. તેમને બ્રિટન પહોંચવા માટે 2 દિવસમાં ફરીથી RTPCR ટેસ્ટ કરાવવાનો રહે છે. જર્મનીએ ભારતના વેરિઅન્ટને ચિંતામુક્ત કેટેગરીથી હટાવી દેવાયું છે. અહીં યાત્રીઓએ નેગેટિવ રિપોર્ટ બતાવવાની સાથે 10 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે છે.
દ. કોરિયામાં છે આ નિયમ
દ. કોરિયામાં ફક્ત એ ભારતીયોને મંજૂરી મળે છે જેમને કોવિશિલ્ડના બંને ડોઝ મળી ચૂક્યા છે. સાથે આ યાત્રીઓને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. કોવેક્સિન લેનારા લોકોને પણ ક્વોરન્ટાઈન રહેવું પડશે.