તાજેતરમાં બરવાળા કથિત લઠ્ઠાકાંડ બાદ અનેક પરિવારો બેઘર બન્યા તો કેટલા બાળકોએ તેમના પિતાને ખોયા છે. આ તરફ હવે કોંગ્રેસમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ મોટી જાહેરાત કરી છે. અમિત ચાવડાએ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલના બાળકોને ભણાવવાની જવાબદારી લીધી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના બાળકોને મારી સંસ્થા ધોરણ-1 થી 12 સુધી ભણાવશે.
હમણાં થોડા દિવસ પહેલાં જ બરવાળા સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂને કારણે અનેક લોકોના મોત થયા હતા. મૃતકોમાં ઘણાં વ્યક્તિ પરિવારનો એકમાત્ર ટેકો હતા. તો ઘણાં વૃદ્ધ મા-બાપનો એકમાત્ર સહારો હોય તેવા દીકરાનું પણ મોત થયું છે. આ તરફ હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ માનવતાભરી જાહેરાત કરી છે. અમિત ચાવડાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના બાળકોને ધોરણ 1થી 12 સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેમની સંસ્થા નિભાવશે.
શું કહ્યું અમિત ચાવડાએ ?
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પક્ષના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ એક મોટી જાહેરાત કરી છે. તાજેતરમાં બરવાળાના કથિત લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત બાદ હવે મૃતકોના બાળકોના ભણતરની જવાબદારી તેમણે લીધી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, લઠ્ઠાકાંડમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેમના બાળકોને ભણવાની જવાબદારી હુ પુરી કરીશ. બોરસદમાં આવેલી તેમની સંસ્થા આ બાળકોના ધોરણ-1થી 12 સુધી ભણાવશે.
તાજેતરમાં અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં OBCના પ્રતિનિધિત્વની માંગ કરી છે. અમિત ચાવડાએ પત્રમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં OBC સમાજની 52 ટકાથી વધુ વસ્તી છે. દેશના સંવિધાને સામાજિક પછાત વર્ગને ન્યાયની ખાતરી આપી છે. સ્થાનિક ચૂંટણીમાં 27 ટકા OBCને પ્રતિનિધિત્વ આપવું જોઇએ. ચૂંટણીમાં અનામત નાબૂદીથી OBC સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. વિકસતી જાતિના હિતને નુકસાન થઇ રહ્યું છે.'