દર્શનાબેન જરદોશ સુરતના સૌથી શિક્ષિત સાંસદ છે. 2014માં તેમણે જંગી બહુમત સાથે વિજય મેળવ્યો હતો. તેઓ તે સમયે તેમના પ્રતિસ્પર્ધી સામે જેટલા વોટથી જીત્યા હતા. તેટલા વોટ સાથે એક સમયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરાગાંધી જીત્યા હતા.
સુરતના સૌથી શિક્ષિત સાંસદ છે દર્શનાબેન જરદોશ
ત્રણ ટર્મ સુધી તેઓ સુરતના સાંસદ ચૂંટાયા
2014માં જંગી બહુમત સાથે વીજય મેળવ્યો હતો
મોદી સરકારે આજે કેબિનેટમાં મત્રીમંડળનું વિસ્તરણ કર્યું. આ વિસ્તરણમાં ગુજરાતના ઘણા નેતાઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમા સુરતના સાંસદ દર્શનાબેન જરદોશનું કદ પણ વધ્યું છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણમાં સક્રિય છે. દર્શનાબેન જરદોશે જ્યારે સાંસદ તરીકે ચૂંટણી લડી હતી ત્યારે પણ તેઓ મોટી બહુમતી સાથે ચુંટણી જીત્યા હતા.
2014માં ઐતિહાસિક જીત હાંસલ કરી
દર્શનાબેને 2009માં પહેલી વખત સુરત માટે આંતરરાષ્ટ્રીય હવાઈમથકની માગણી કરી હતી. તેઓ લોકસભાની ચૂંટણી પણ 2009માં લડ્યા હતા. સંસદ સભ્ય તરીકે ફરી વખત તેઓ 2014માં જીત્યા હતા .સાંભળીને આપને નવાઈ લાગશે કે તે સમયે તેમણે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.
જંગી બહુમત સાથે જીત
2014માં જ્યારે દર્શનાબેને ચૂંટણી લડી ત્યારે તેઓ તેમના પ્રતિસ્પર્ધિ કરતા 5.33.190 મતથી જીત્યા હતા. આવી ઘટના અગાઉ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે બની હતી. જેમા તે સમયે તેઓ પણ જંગીબહુમત સાથે જીત્યા હતા.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાની માગ
21 જાન્યુઆરી 1961ના રોજ દર્શનાબેન જરદોશનો જન્મ થયો હતો. તેઓ સુરતના અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે સૌથી પહેલા તેમણેજ કેમ્પેઈન ચલાવ્યું હતું. છેલ્લા ત્રણ ટર્મથી તેઓ સુરતના સાંસદ ચૂટાતા આવ્યા છે.
સુરતના સૌથી શિક્ષિત સાંસદ
દર્શનાબેન જરદોશને મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું તેના પાછળ ઘણા ખાસ કારણો છે. જેમા પહેલું કારણ એ છે કે તેઓ સુરતના સૌથી શિક્ષિત સાંસદ છે. બીજું કે તેઓ ઓબીસી સમાજના છે. મહત્વની વાત છે કે તેઓ દક્ષિણ ગુજરાતનો એકજ ચહેરો છે કે જેમણે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.
સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર ઘટશે
ઉલ્લેખનીય છે કે સુરત વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ 27 બેઠકો જીતી હતી. પરંતુ હવે દર્શનાબેનને મંત્રીમંડળમાં સ્થાન મળતા આપનું જોર ઘટી શકે છે. બીજી એક મહત્વની વાત એ છે કે દર્શનાબેન જરદોશ દરજી સમાજના છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન આપીને PM મોદીએ મોટો સંદેશો આપ્યો છે.