મોટાભાગના લોકો પોતાની પર્સનાલિટીને નિખારવા માટે જૂત્તા પહેરે છે પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂત્તા તમારી કિસ્મતને બદલવામાં પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ માટે જૂત્તા પહેરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
મંદિર અથવા કોઇ અન્ય જગ્યાએથી કોઇ તમારા ચંપલ પહેરી જાય તો તમારે ત્યાંથી કોઇ બીજાના ચંપલ પહેરીને આવવું જોઇએ નહીં. જો તમે બીજાના જૂત્તા પહેરીને આવો છો તો એનાથી એની દરિદ્રતા અને પરેશાનીઓ પણ પોતાની સાથે લઇને આવે છે. જો તમારા ચંપલ ફાટી ગયા છે અથવા તૂટી ગયા છે તો એને પહેરશો નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફાટેલા જૂત્તા પહેરીને નવી નોકરી પર તો બિલકુલ જવું જોઇએ નહીં એનાથી કામમાં અસફળતા મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસ અથવા તમારા કોઇ અન્ય કાર્યક્ષેત્રમાં ભૂરા જૂત્તા પહેરીને જવું યોગ્ય માનવામાં આવતું નથી. આ સ્થાન પર ભૂરા જૂત્તા પહેરીને જવાથી તમારી પ્રગતિના રસ્તા રોકાઇ જાય છે. જો તમને કોઇ ગિફ્ટમાં જૂત્તા આપે છે તો તમારે એ પહેરવા જોઇએ નહીં. તમને જણાવી દઇએ કે જૂત્તાનો સંબંધ શનિથી હોય છે જો તમે કોઇના આપેલા જૂત્તા પહેરો છો તો કદાચ એની પર શનિનો પ્રકોપ ચાલી રહ્યો હોય છે તો એની અસર તમારી પર પણ પડે છે.