મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે કહ્યું કે ઈંધણના ભાવ અમેરિકામાં નક્કી થાય છે અને તેના દરોમાં વધારા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવવું ખોટું છે.
ઈંધણના ભાવનો સંબંધ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના દરોથી
ઈંધણના ભાવ અમેરિકામાં નક્કી થાય છે -રાવસાહેબ દાનવ
પેટ્રોલ- ડીઝલની મોંઘવારીથી કેન્દ્ર સરકારે ભલે થોડી રાહત આપી છે પણ તેમ છતાં કિંમત હજું પણ લોકોને હેરાન કરનારી છે. આ દરમિયાન મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે કહ્યું કે ઈંધણના ભાવ અમેરિકામાં નક્કી થાય છે અને તેના દરોમાં વધારા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવવું ખોટું છે. ભાજપના નેતાએ આ વાત મધ્ય મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં નવા પાર્ટી કાર્યાલયના ઉદ્ધાટન કાર્યક્રમમાં કહી. આ પ્રસંગ પર પાર્ટીના કાર્યકર્તા હાજર હતા.
ઈંધણના ભાવનો સંબંધ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના દરોથી
તેમણે કહ્યું કે કેન્દ્રએ આ મહિનાની શરુઆતમાં પેટ્રોલ- ડીઝલ પરના ઉત્પાદન કરને ઘટાડ્યો છે. પરંતુ બિન ભાજપ શાસિત રાજ્યોએ ગ્રાહકોને વધારે રાહત આપવા માટે તેના પરના વેટમાં ઘટાડો નથી કર્યો. રેલ રાજ્ય મંત્રીએ રવિવારે રાતે કહ્યું કે ભારતમાં ઈંધણના ભાવ વધતા ઘટતા રહે છે. કેમ કે તેનો સંબંધ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના દરોથી છે.
તેમણે કહ્યું કે દેશમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિ વિરુદ્ધ વિરોધ માર્ચ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ ઈંધણના ભાવનો સંબંધ વૈશ્વિક (બજાર) સ્થિતિથી છે. એક દિવસ આ 35 પૈસા વધી જાય છે તો આગલા દિવસે એક રુપિયો ઘટી જાય છે અને પછી આ 50 પૈસા ચઢી જાય છે.
મંત્રીએ કહ્યું કે આ ભાવ તો અમેરિકામાં નક્કી થાય છે. એટલા માટે ઈંધણના મૂલ્યમાં વૃદ્ધિ માટે કેન્દ્રને જવાબદાર ગણાવવું ખોટું છે. કેન્દ્રએ તો પોતાના કરમાં ઘટાડો કર્યો. પરંતુ કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળ શાસિત રાજ્ય એવું કરવા માટે તૈયાર નથી. દેશ કેન્દ્ર સરકારના ધનથી ચલાવી રહ્યા છે. આપણે આ લોકોને જણાવવાની જરુર છે.