FSSAI દ્વારા ખાદ્યતેલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી બાદ ખાદ્યતેલોમાંથી એવી એવી અશુદ્ધિઓ મળી આવી હતી કે જેણે કંપનીઓના બધા દાવાઓ ખોટ સાબિત કરી દીધા હતા.
FSSAI દ્વારા લેવાયા સેમ્પલ
ખાદ્યસુરક્ષા માટેની સંસ્થા FSSAI દ્વારા દેશભરમાં વેચાઇ રહેલા ખાદ્યતેલોની ગુણવત્તા માપવા માટે સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો.
દેશભરમાં વેચાઇ રહેલા ખાદ્યતેલો ખાવાલાયક નથી
આ સેમ્પલ્સ દેશના 587 જિલ્લા અને 4 મહાનગરોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોના તારણ બાદ FSSAIએ દાવો કર્યો હતો કે દેશમાં ભેળસેળ યુક્ત ખાદ્યતેલ મળી રહ્યા છે. જેમાં જણાવાયું હતું કે દેશભરમાં વેચાઇ રહેલા ખાદ્યતેલો ખાવાલાયક નથી.
4461 નમૂનાઓ લેવામાં આવ્યા
દેશમાંથી 4461 નમૂનાઓ લેવામાં આવ્યા હતાં જેમાંથી મોટેભાગના નમૂનાઓ તેની ગુણવત્તાની ચકાસણીમાં નિષ્ફળ ગયા હતા.
શરીર માટે હાનિકારક રસાયણો મળી આવ્યા
આ સેમ્પલ્સમાં જાણવા મળ્યું હતું કે ખાદ્યતેલમાં આફ્લાટિકિસન્સ કિટાણુનાશક જેવા ઘાતક રસાયણો મળી આવ્યા છે. એટલું જ નહીં ખાદ્યતેલમાં મોટી માત્રમાં મેટલ પણ મળી આવ્યું છે.
જે શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.
લેબલ પર કૈંક અલગ, કન્ટેન્ટ કૈંક અલગ
કેટલાક સેમ્પલોમાં ખાદ્યતેલના લેબલ પર કરવામાં આવેલા દાવા પ્રમાણેની વસ્તુઓ મળી આવી ન હતી, જ્યારે 108 જેટલા સેમ્પલોમાં તો તેલ ખાવા લાયક ન હોવાનું પણ સામે આવ્યું છે.
ખાદ્ય તેલોને લઇ FSSAI નો દાવો છે કે દેશમાં અશુદ્ધ અને ભેળસેળ યુક્ત ખાદ્યતેલો મળી રહ્યા છે. તેઓએ દેશના 587 જિલ્લા અને 4 મેટ્રો શહેરમાંથી નમૂના લીધા હતા. જે કુલ મળીને 4461 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જે પૈકીનાં 24.2% નમૂનાઓ માપદંડોમાં ફેલ થયા હતા.
આફ્લાટોક્સિન્સ જેવા ઘાતક રસાયણો મળ્યા
કુલ મળીને 4461 નમૂનાઓ જેમાંથી 2.42% એટલે 108 નમૂનાઓની ક્વોલિટી વધુ ખરાબ જોવા મળી હતી. કેટલાક નમૂનામાં તો આફ્લાટોક્સિન્સ, કિટાણુંનાશક જેવા ઘાતક રસાયણો પણ મળ્યા હતા. અમુક નમૂનાઓમાં મોટી માત્રામાં મેટલ પણ મળી આવ્યું હતું. આ તમામ હાનિકારક પદાર્થો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આટલું ઓછું હોય એમ કુલ નમુનાઓ પૈકી 572 સેમ્પલોમાં ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલા દાવાઓ ખોટા સાબિત થયા હતા.
આ તેલમાં હતા ભેળસેલના પુરાવા
FSSAI દેશભરમાંથી અલગ અલગ ખાદ્યતેલોના નમૂના લેવાયા હતા. જેમાં સરસવનું તેલ, નાળિયેરનું તેલ, પામ તેલ, બ્લેન્ડે તેલના વગેરેના નમૂના લેવાયા હતા.
આ ઉપરાંત કપાસિયા, સોયાબીન, સૂર્યમુખી, કુસુમ તેલના પણ નમૂના લેવાયા હતા. ઉત્તર અને મધ્ય ભારતના ઘરોમાં ખવાતા સિંગતેલ, કેનોલા. રાઇસ બ્રાન ઓઇલ, તલ, અળસી, મકાઇના તેલના નમૂનાઓમાં પણ આ પ્રકારની ભેળસેળ મળી હતી.
ટૂંકમાં કહીએ તો દેશમાં વેચાતા તમામ તેલમાં ભેળસેળ તેઓને મળી આવી હતી. બાદમાં ખાદ્યતેલોમાં ભેળસેળ મળતા તેને રોકવા માટે નિર્દેશ પણ અપાયા હતા.