કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. જોકે, ભારતમાં આયુષ મંત્રાલય અને FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા લોકોને ખાનપાનથી જોડાયેલી ગાઈડલાઈન આપવામાં આવી રહી છે. જેથી લોકો સંક્રમણ અને બીમારીઓથી સુરક્ષિત રહી શકે. ત્યારે હાલમાં જ FSSAIએ વિટામિન Aને લઈને ગાઈડલાઈન જારી કરી છે. જે ઈમ્યૂનિટી વધારવા અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.
ઈમ્યૂનિટી વધારે છે વિટામિન એ
FSSAIએ વિટામિન એથી ભરપૂર ફૂડ્સ ડાયટમાં લેવાની સલાહ આપી છે. ઈમ્યૂનિટીને સારી રાખવા માટે પ્લાન્ટ બેસ્ડ ફૂડ ખાવા જરૂરી છે. આવા ફૂડ્સ રોગોથી અને વિવિધ સંક્રમણથી બચાવે છે.
કેમ જરૂરી છે વિટામિન એ
વિટામિન એમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે ઈમ્યૂનિટી વધારે છે. આ બે પ્રકારના હોય છે. રેટિનોલ અને કેરોટીન. વિટામિન એ આંખો સિવાય સ્કિન, નખ, વાળ, દાંત, પેઢા અને હાડકા માટે પણ જરૂરી છે. સાથે જ તેનાથી શરીરમાં કેલ્શિયમનું સ્તર પણ યોગ્ય રહે છે.
આ ફૂડ્સમાંથી મળશે વિટામિન એ
પપૈયુ
પપૈયામાં વિટામિન એ સિવાય પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે. તેનાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને પાચનતંત્ર સારું રહે છે. સાથે જ આ ઈમ્યૂનિટી પણ વધારે છે.
ટામેટા
ટામેટામાં વિટામિન એ સહિત ગ્લૂટાથિયોન નામનું તત્વ પણ હોય છે. જે કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે. આ સિવાય તેમાં વિટામિન સી, કે, આયર્ન, ફોલેટ, પોટેશિયલ જેવા પોષક તત્વો હોય છે. જે સંક્રમણનો ખતરો ઘટાડે છે.
લીલાં શાકભાજી
લીલા શાકભાજીમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ઈમ્યૂનિટી વધારવાની સાથે બીમારીઓથી પણ બચાવે છે. સાથે જ બીપીને નિયંત્રણમાં રાખે છે અને આંખોની રોશની પણ વધારે છે.
શક્કરિયા
શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે. સાથે જ તેમાં વિટામિન એ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.
ગાજર
આમાં એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપિન હોય છે. જે શરીરની બધી સિસ્ટમને મજબૂત બનાવે છે. ગાજર ખાવાથી શરીરમાં લોહીની કમી થતી નથી. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહે છે.