બાંકુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા બેનરજીએ જણાવ્યું કે શું ચૂંટણી પંચને અમિત શાહ ચલાવી રહ્યાં છે. તેઓ ચૂટંણી પંચને આદેશ આપી રહ્યાં છે.
બેનરજીએ કહ્યું કે ભાજપ મારી હત્યાનું કાવતરુ કરી રહ્યો છે. ચૂંટણી પંચે મારા સિક્યુરીટી ડિરેક્ટરને પણ હટાવી દીધા છે. મમતાએ કહ્યું કે શું કેન્દ્રીય ગૃહમંત્રી દેશ ચલાવશે અથવા તો બંગાળમાં અમારુ ઉત્પીડન કરવાનું કાવતરુ કરશે.
Farmers have been protesting for 6 months now, however, the ministers are not holding talks with them. All the ministers are here, in Bengal, where they have booked hotels & conspiring to kill me, destroy TMC & how to file cases against TMC with the help of EC: WB CM in Bankura pic.twitter.com/bIvWtm9LHV
મમતાએ કહ્યું કે અમિત શાહ મૂંઝાઈ ગયા છે કારણ કે તેમની રેલીઓમાં લોકોની પાંખી હાજરી જોવા મળે છે. ઝારગ્રામની રેલી પણ હેલિકોપ્ટરની ખરાબીને કારણે રદ કરાઈ નથી પરંતુ ત્યાં કાગડા ઉડતા હોવાથી તેને રદ કરી દેવાઈ.
ટીએમસી નેતાઓની પજવણીનું કાવતરુ
મમતાએ કહ્યું કે દેશ ચલાવવાને બદલે અમિત શાહ કોલકાતામાં ધામા નાખીને પડ્યાં છે અને ટીએમસી નેતાઓની પજવણીનું કાવતરુ કરી રહ્યાં છે. તેઓ શું કરી રહ્યાં છે. શું તેઓ મારી હત્યા કરવા માગે છે ? શું તેઓ એવું માની રહ્યાં છે કે તેઓ મારી હત્યા કરીને ચૂંટણી જીતી જશે. તેઓ ખોટા છે. મમતાએ કહ્યું કે ચૂંટણી પંચ તેની આઝાદી ગુમાવી ચૂક્યું છે. શું અમિત શાહ ચૂંટણી પંચને ચલાવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પંચને નિર્દેશ કરી રહ્યાં છે. ચૂંટણી પંચની આઝાદીનું શું થયું.