જો તમે પણ સાંધાના દુખાવાની ફરિયાદથી પરેશાન છો તો તમારે પોતાની ડાયેટમાં અમુક ફળોને જરૂર શામેલ કરવા જોઈએ. તેમાં સંતરા, તરબૂચ, દ્રાક્ષ શામેલ છે.
સાંધાના દુખાવાની સમસ્યા થશે દૂર
ડાયેટમાં શામેલ કરો આ ફળ
જાણો તેના વિશે ડિટેલ્સમાં
વધતી ઉંમર સાથે સાંધાના દુઃખાવાની સમસ્યા પણ વધવા લાગે છે. આર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી સામાન્ય સમસ્યા સાંધામાં દુખાવો અને સોજો છે. ઉંમર સાથે મોટાભાગના લોકોમાં આમસ્યા જોવા મળે છે. બદલાતી જીવનશૈલીમાં જો તમે તમારા ખાવા-પીવા પર થોડું ધ્યાન આપશો તો તમને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય. આ સિવાય જો તમે તમારા આહારમાં કેટલાક ફળોનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.
જરૂર ખાઓ નારંગી
નારંગી એક એવું ફળ છે, જે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ ખાવાથી સાંધાના દુખાવા અને સોજાની ફરિયાદ ઓછી થાય છે. નારંગીમાં વિટામિન-સી સારી માત્રામાં હોય છે. આ ફળમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ સાંધામાં થતી બળતરાને મોટી માત્રામાં ઘટાડે છે. જણાવી દઈએ કે અર્થરાઈટિસના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળ ખાવા જોઈએ.
તરબૂચ ખાવાથી પણ સાંધાનો દુખાવો નહિ થાય
તરબૂચ ખાવાથી પણ ફાયદો થાય છે. હકીકતે તરબૂચમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટ્રી ગુણો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે, જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. આ બળતરાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ખાસ કરીને રયુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ફાયદાકારક છે.
દ્રાક્ષ પણ ફાયદાકારક
આ સાથે તમે તમારા આહારમાં દ્રાક્ષનો પણ સમાવેશ કરી શકો છો. તેને ખાવાના ઘણા ફાયદા પણ છે. તેનાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ ઓછી થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આર્થરાઈટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે.