દિવસેને દિવસે મોંઘવારીનો માર વધી રહ્યો છે. ત્યારે હવે શ્રાવણના પ્રવિત્ર મહિનામાં વધુ એક વાર મોંઘવારીએ માઝા મૂકી છે.
અમદાવાદમાં ફરાળી વસ્તુ મોંઘી
તહેવારોમાં મોંઘવારીનો માર
ફરાળી વસ્તુના ભાવ વધ્યા
તહેવારોના સમયમાં મીઠાઈ અને ફરસાણ અને ફ્રુટના ભાવ વધ્યા છે. હાલ શ્રાવણમાં લોકો ઉપવાસ કરે છે અને મોટાભાગના લોકો ફળફળાદી પર રહેતા હોય છે. ત્યારે ફ્રુટ અને ફરાળી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.
શ્રાવણ માસની શરૂઆત થતા ફરાળના ભાવ ભડકે બળ્યા
ખાસ કરીને દૂધ, દહીં, લોટ જેવી ચીજ વસ્તુઓ પર 5 ટકા GST લગતા ભાવ વધ્યા છે. શ્રાવણ માસની શરૂઆત થતા ફરાળના ભાવ ભડકે બળ્યા છે. ફરાળના ભાવમાં 30થી 40 ટકાનો ભાવ વધારો થયો છે. મોરૈયો, કેળાની વેફર્સ, બફવડા અને અન્ય વસ્તુઓમાં ભાવ વધ્યા છે.
તહેવારોમાં લોકો ફરાળી વસ્તુઓ ફ્રુટ લેવા માટે આવે છે. ઘરમાં રહેતા બાળકો અને વૃદ્ધો માટે ફળ લેવુ જરૂરી હોય છે અને ઉપવાસ કરનારા લોકો પણ ફળ અને ફરાળી વસ્તુઓ ખાય છે. ત્યારે આ વસ્તુઓ લેવા જતા લોકો મોંઘવારીના કારણે તોબા પોકારી ગયા છે. આ મોંઘવારીનો માર પડતા લોકોએ સરકાર સમક્ષ માગ કરી છે કે જરૂરી વસ્તુઓ પરથી GST હટાવીને ભાવ કાબૂમાં લાવવો જોઈએ.
ફરાળની સાથે ફ્રૂટના ભાવ પણ ભડકે બળી રહ્યાં છે
ફરાળની સાથે ફ્રુટના ભાવ વધુ ભડકે બળી રહ્યાં છે સામાન્ય દિવસોમાં 80 રૂપિયે કિલો મળતા સફરજન હાલ 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. આ ઉપરાંત તરબૂચ 25, નારંગી 150, પાઈનેપલ 100, મોસંબી 80, દાડમ 100, કેળા 60ના ડઝન, પપૈયુ 60, ચીકુ 120, ખારેક 140 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. જે સામાન્ય દિવસો કરતા 10થી 20 ટકા વધારે ભાવ સાથે વેચાઈ રહ્યું છે. જો કે આ મામલે વેપારીઓ અને ગ્રાહકોમાં પણ અમૂક સમયે મતભેદ ઉભા થતા હોય છે ત્યારે વેપારીએ પણ પોતાની વાત કરી હતી. ગ્રાહકોએ પણ પોતાની સમસ્યા રજૂ કરી હતી.
આમ હાલ મોંઘવારીનો માર તમામ લોકો પર ભારે પડી રહ્યો છે. ત્યારે લોકો આશા કરી રહ્યાં છે કે આગામી દિવસોમાં ઘણા તહેવારો આવી રહ્યા છે તો સરકાર આ ભાવ વધારા મામલે કંઈ વિચારે અને GST પરત લઈ તમામ લોકોને રાહત આપે તેવી માગ કરી રહ્યાં છે.
ફ્રૂટ
વધારો (પ્રતિ કિલો)
તરબૂચ
25
નારંગી
150
પાઈનેપલ
100
મોસંબી
80
દાડમ
100
કેળાં
60ના ડઝન
પપૈયું
60
ચીકુ
120
ખારેક
140
સામાન્ય દિવસો કરતા 10થી 20 ટકા વધારે ભાવ સાથે વેચાઈ રહ્યું છે.