કોરોના સંક્રમણના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ચાર મહિનાથી બંધ દુકાનો આવતી કાલ ૫ ઓગસ્ટથી ખૂલવા જઇ રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો આવતાં જ મુંબઈ નગર નિગમ (બીએમસી) દ્વારા ૫ ઓગસ્ટથી સપ્તાહના સાત દિવસ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે પાટા પર સામાન વેચનારા દુકાનદારોને મંજૂરી આપવાનો સરકારે હાલમાં ઇનકાર કર્યો છે.
કોરોના સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારનો મહત્વનો નિર્ણય
5 ઓગસ્ટથી શહેરની દુકાનો ખોલવાની જાહેરાત કરી
છેલ્લા 4 મહિનાથી બંધ હતી દુકાનો
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે ૧.૧૪ લાખથી પણ વધી ગઈ છે અને અત્યાર સુધીમાં ૬,૩૫૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે મુંબઇમાં કોરોનાથી સાજા થવાનો દર સરેરાશ ૬૦ ટકાથી ઉપર છે.
5 ઓગસ્ટથી શહેરની દુકાનો ખોલવાની જાહેરાત કરી
કોરોના સંક્રમણને નિયંત્રણમાં આવતું જોઈ મુંબઇ નગર નિગમે 5 ઓગસ્ટથી શહેરની દુકાનો ખોલવાની જાહેરાત કરી છે. આ દુકાનો લોકડાઉનના કારણે છેલ્લા ચાર મહિનાથી બંધ હતી. લોકોના નુકસાનની ચુકવણી કરવા માટે તેમને સપ્તાહના સાત દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. બીએમસીની જાહેરાત બાદ દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે તે દુકાનો ખોલવાની તૈયારીમાં લાગ્યા છે.
બીજી તરફ રસ્તા-પાટા ઉપર માલ વેચીને જીવન જીવતા દુકાનદારો અત્યારે નિરાશા અનુભવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવનાને જોઈ સરકારે હાલમાં તેમને મંજૂરી આપવાની ના પાડી દીધી છે.
સોમવારે બોમ્બે હાઈકોર્ટે કરી સુનાવણી
સોમવારે બોમ્બે હાઈકોર્ટની સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે રસ્તા પર માલ વેચતા દુકાનદારોને કામ શરૂ કરવાની મંજૂરી આપી શકાતી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને પુનર્વસન વિભાગ વતી કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું કે પાટા દુકાનદારો અસંગઠિત ક્ષેત્રની શ્રેણીમાં આવે છે. આવી સ્થિતિમાં તેમના વ્યવસાયને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ છે.
આ પહેલાં મનોજ ઓસવાલ નામના અરજીકર્તાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું હતું કે જ્યારે હોટલ અને રેસ્ટોરાંમાં કામ કરવાની મંજૂરી મળી ગઇ છે તો પટરી દુકાનદારોની સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે. આ અરજીની નોંધ લેતાં કોર્ટે સરકારને પોતાનું વલણ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.