શિયાળાની ઋતુમાં લીલાશાકભાજી સરળતાથી મળી રહે છે. સાથે જ સીઝનલ ફળો પણ મળી રહે છે એવામાં તમારી ડાયેટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી તમારા પાચનથી લઈને હૃદય સંબંધીત ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
શિયાળામાં સરળતાથી મળી આવે છે શાકભાજી અને ફ્રૂટ
સિઝનમાં મળતી આ વસ્તુઓ છે તમારા માટે ફાયદાકારક
શિયાળામાં આ વસ્તુઓના સેવનથી થશે ફાયદા
શિયાળાની ઋતુમાં વિવિધ સિઝનલ શાક અને ફ્રૂટ મળી રહે છે. અભ્યાસમાં સિઝનલ ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ખાસ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે. વટાણા આ સિઝનમાં જોવા મળતી એક એવી જ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે, જે અભ્યાસમાં ઘણી રીતે ફાયદાકારક જોવા મળી છે. હૃદયને સ્વસ્થ રાખવાની સાથે સાથે વટાણાનું સેવન પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સંશોધકોએ શોધી કાઢ્યું કે વટાણામાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટની ભરપૂર માત્રા હોય છે, જે તેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શરીર માટે જરૂરી પ્રોટીન અને ફાઈબર પણ સરળતાથી મેળવી શકાય છે.
અનેક રોગોના વિકાસને રોકે છે વટાણા
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે વટાણાનું સેવન અનેક રોગોના વિકાસને રોકવામાં પણ મદદરૂપ છે, ચાલો આ વિશે વધુ વિગતવાર જાણીએ.
શુગર લેવલને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે વટાણા
સંશોધકોની ટીમને જાણવા મળ્યું છે કે લીલા વટાણાનું સેવન ડાયાબિટીસની સમસ્યાને ઓછી કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી બ્લડ સુગરના સ્તરને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં ફાયદા થઈ શકે છે.
વટાણામાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે. સંશોધકોએ જોયું કે લીલા વટાણા ખાવાની આદત શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
પાચન માટે વટાણાના ફાયદા
રિપોર્ટ અનુસાર લીલા વટાણામાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. જે તેને પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે. ફાઈબર તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે અને તેનાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાઓનું જોખમ પણ ઘટે છે.
વટાણાનું સેવન પેટની સમસ્યાઓ જેવી કે આંતરડામાં સોજો, ઇર્રિટેબલ બોવેલ સિંડ્રોમ (IBS)માં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, તેનું વધુ સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે.
વટાણામાં કેન્સર રોકવાના ગુણ
લીલા વટાણાના સેવનથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. વટાણામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં સોજો ઘટાડવા અને કોષોને ફ્રી રેડિકલથી બચાવવા માટે જરૂરી છે.
સંશોધકોએ શોધી કાઢ્યું કે લીલા વટાણામાં સેપોનિન હોય છે, પ્લાન્ટના આ યૈગિક કેન્સર રોધી પ્રભાવો માટે ઓળખવામાં આવે છે. સેપોનિન કેન્સર કોશિકાઓને રોકવા અને ટ્યુમરના વિકાસને રોકવામાં પણ ફાયદાકારક છે.