આજથી બુધ ગ્રહ મકર રાશિમાં માર્ગી થઈ રહ્યો છે. આની સૌથી વધારે અસર આ 4 રાશિઓને થશે. આ અસર કરિયરથી માંડીને આર્થિક સ્થિતિ તથા સ્વાસ્થ્ય પર પડશે.
આજથી બુધ ગ્રહ થઈ રહ્યા છે માર્ગી
3 રાશિઓને થશે લાભ
1 રાશિ માટે અશુભ સમય
આજે એટલે કે 4 ફેબ્રુઆરીથી, કારોબારના કારક ગ્રહ બુધ માર્ગી થઈ રહ્યા છે. જેની સીધી અસર લોકોના સંવાદ, તર્ક, બુદ્ધિ તથા ધન પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધની બદલાયેલ ચાલ 4 રાશિઓ પર સૌથી વધારે અસર કરશે. આ અસર શુભ તથા અશુભ બંને હશે. અસલમાં, બુધની સીધી ચાલ 3 રાશિઓ માટે ખૂબ જ શુભ તથા 1 રાશિના જાતકો માટે અશુભ સાબિત થશે. જાણી લો કે 4 ફેબ્રુઆરી સવારે 9:16 વાગ્યાથી મકર રાશિમાં માર્ગી થઈ રહેલ બુધ આ 4 રાશિના જાતકોના જીવનમાં કયા મોટા બદલાવો લાવી રહ્યા છે?
આ રાશિઓ માટે અત્યંત લાભદાયી
મેષ રાશિ (Aries): મેષ રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ ખૂબ જ શુભ સાબિત થશે. તેમની કરિયરમાં ઘણી પ્રગતિ થશે. સફળતાનો ગ્રાફ ઉપર તરફ વધતો જ જશે. નવી ઑફર્સ મળશે, કામના વખાણ થશે, પગાર વધશે. કુલ મળીને, સમય ખૂબ જ સારો છે. રોજિંદા 41વાર ૐ નમો નારાયણ મંત્રનો જાપ સફળતાને બમણી કરી દેશે.
વૃષભ રાશિ (Taurus): માર્ગી બુધ વૃષભ રાશિના જાતકો માટે પણ ખૂબ જ શુભ રહેશે. અત્યાર સુધી અટાયેલા કામો પૂરા થશે. જૂના અટકાયેલ પૈસા પાછા મળી શકે છે. ખાસકરીને, કારોબારીઓને ઘણો લાભ થશે. બિઝનેસ વધશે. વિદેશોથી લાભ થશે. રોજિંદા 32 વાર ૐ બ્રાં બ્રીં બ્રૉં સઃ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો.
મકર રાશિ (Capricorn): બુધની સીધી ચાલ મકર રાશિના જાતકો માંતે શુભ સાબિત થશે કેમકે બુધ આ જ રાશિમાં વક્રી હતા તથા હવે માર્ગી થઈ રહ્યા છે. કરિયરમાં આવી રહેલ મુશ્કેલીઓ નષ્ટ થશે. સફળતા મળવા લાગશે. ધન લાભ થશે. વિદેશ યાત્રા થઈ શકે છે. નારાયણીમનો પાઠ કરવાથી લાભ થશે.
આ રાશિને થશે નુકસાન
ધનુ રાશિ (Sagittarius): ધનુ રાશિના લોકો માંતે બુધનું આ ગોચર અશુભ છે. તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ પાછળનું કારણ વધારે ખર્ચ કે ક્યાંક પૈસાનું ફંસાવુ હોય શકે છે. સંભાળીને ચાલવું. કરિયર માટે પણ આ સમય ખાસ સારો નહીં રહે. આંખોનું ધ્યાન રાખવું. રોજ સવારે 108 વાર ૐ નામો નારાયણ મંત્રનો જાપ કરવાથી લાભ થશે.