એક જમાનામાં પ્યારે ખાન સંતરા વેચીને ગુજરાન ચલાવતા હતા
આજે 400 કરોડની કંપનીના માલિક છે
એક જમાનામાં પ્યારે ખાન સંતરા વેચીને ગુજરાન ચલાવતા હતા. આજે તેઓ એક મોટો ટ્રાન્સપોર્ટર છે. તેમની પાસે 300 ટ્રકોનો મોટો કાફલો છે. 400 કરોડની કિંમતની કંપનીના માલિક પ્યારેખાને 2 હજાર ટ્રકોના નેટવર્કનુ મેનેજ કરે છે જેની ઓફિસ નેપાળ,ભૂતાન તથા બાંગ્લાદેશમાં છે. ઓક્સિજન સપ્લાય માટે તેમણે સરકાર પાસેથી કોઈ મદદ લીધી નથી. તેઓ બધો ખર્ચ જાતે ઉપાડી રહ્યાં છે. તેઓ રમઝાનના પવિત્ર મહિનામાં જકાત એટલે કે દાન તરીકે માને છે.
નાગપુર અને બીજા શહેરોમાં ઓક્સિજન પૂરો પાડ્યો
પ્યારેખાને નાગપુરની ઉપરાંત, રાયપુર, ભિલાઈ, રાઉરકેલા સુધી ઓક્સિજન સપ્લાય પૂરો પાડ્યો હતો. તેમની આ પહલમાં એમ્સ સહિત બીજી હોસ્પિટલોમાં 50 લાખની કિંમતના 116 ઓક્સિજન કોન્સેંટ્રેટર્સ સામેલ છે.
ઝુપડપટ્ટીમા જન્મ, સંતરા વેચ્યા... આજે છે IIM માં કેસ સ્ટડી
નાગપુરના હીરો બનેલા પ્યારેખાનના પિતા તાજબાગ વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહેતા હતા. પ્યારેએ 1995 માં નાગપુર રેલવે સ્ટેશનની સામે સંતરા વેચીને પોતાના ધંધાની શરુઆત કરી હતી. તેઓ ઓટોરિક્ષા ચલાવતા રહ્યાં અને સાથે આર્કેસ્ટ્રા કંપનીમા પણ કામ કરતા રહ્યાં. તેઓ મહેનતના બળે આજે 400 કરોડના મૂલ્યવાળી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક પ્યારેખાનની સફળગાથા IIM માં કેસ સ્ટડીનો વિષય બની છે.