બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Budget 2025-26 / શિષ્યવૃત્તિથી લઇને ગણવેશ સહાય, વિદ્યાર્થીઓને લઇ ગુજરાત બજેટમાં કરોડોની જોગવાઇ

બજેટ 2025 / શિષ્યવૃત્તિથી લઇને ગણવેશ સહાય, વિદ્યાર્થીઓને લઇ ગુજરાત બજેટમાં કરોડોની જોગવાઇ

Last Updated: 02:45 PM, 20 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના ગુજરાતના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ નીતિ અને વિદ્યાર્થીઓ માટે બજેટ રજુ કર્યું છે. રાજ્ય સરકાર વનબંધુઓ અને આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે. આ યોજનાઓના માધ્યમથી, રાજ્ય સરકાર આદિજાતિ વાળા લોકોની દરેક જરૂરિયાતને પૂરી કરવાની કોશિશ કરી રહી છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, અને રોજગાર સહિતની વિવિધ વિકસિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ યોજના હેઠળ, રાજ્ય સરકારને ૨૦૨૧-૨૨ માં આગળના પાંચ વર્ષ માટે ₹1 લાખ કરોડની ફાળવણી કરી હતી . હાલ સુધી, ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી થઈ ગઈ છે, અને આ વર્ષે ₹૩૦,૧૨૧ કરોડની ફાળવણી પણ થઈ છે, જે લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે. વિદ્યાર્થીઓના વિકાસ માટે રાજ્ય સરકારે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે.

study-table

સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૯૧૨ કરોડની જોગવાઇ. અંદાજે ૩ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા ₹૭૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ૬૬૪ આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે ૧ લાખ વિધાર્થીઓ માટે ₹૫૪૭ કરોડની જોગવાઇ છે. ૧૭૬ સરકારી છાત્રાલયો અને ૯૨૧ ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત ૭૦ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૩૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મહિલા શિક્ષણ અને સ્વરોજગાર માટે યોજનાઓ

રાજ્યમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, ૪૩ ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા ૭૪ આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ ૧૬૭ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે ૪ નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૪૦ હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ ₹૨૮૫ કરોડની જોગવાઇ જાહેર કરવામાં આવી છે.

₹૧૬૦ કરોડની જોગવાઇ

પ્રિ મેટ્રીકના આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૧૬૦ કરોડની જોગવાઇ. ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં અંદાજે ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૧૦૮ કરોડની જોગવાઇ. વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ૩૩ હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા ₹૧૫ કરોડની જોગવાઇ.

ડેરી વિકાસ યોજના હેઠળ ₹૮૭ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૨ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ. સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ₹૮૭ કરોડની જોગવાઇ. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો : હાઈસ્પીડ કોરીડોર અને એકસપ્રેસ વે વિકસાવવા બજેટમાં કુલ 1020 કરોડની ફાળવણી, હવે મળશે ટ્રાફિક છૂટકારો

આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા માટે ₹૭ કરોડની જોગવાઇ. આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે ₹૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે ₹૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Study Budget 2025 Scholarship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ