બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PPF થી LIC સુધી.. રોકાણ કરીને તમે બચાવી શકો ઈન્કમ ટેક્સ, જાણો આવકવેરા બિલમાં શું બદલાયું

બિઝનેસ / PPF થી LIC સુધી.. રોકાણ કરીને તમે બચાવી શકો ઈન્કમ ટેક્સ, જાણો આવકવેરા બિલમાં શું બદલાયું

Last Updated: 04:49 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકવેરા બિલને લોકસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું છે અને તેને 10 માર્ચ સુધીમાં તેનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.

New Income Tax Bill: આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરદાતાને તેની આવકમાંથી ચોક્કસ ખર્ચ અને રોકાણો પર મુક્તિ મળે છે. આ કલમ વ્યક્તિની કુલ કરપાત્ર આવકમાંથી વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની કપાતની મંજૂરી આપે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે. ગયા ગુરુવારે લોકસભામાં રજૂ કરાયેલા નવા બિલમાં 2.6 લાખ શબ્દો છે, જે હાલના આવકવેરા કાયદાના 5.12 લાખ શબ્દો કરતાં ઘણા ઓછા છે. તેમાં કલમોની સંખ્યા પણ 536 છે, જ્યારે હાલના કાયદામાં 819 અસરકારક કલમો છે. આ બિલમાં એક ફેરફાર આવકવેરા કાયદાની કલમ 80C સાથે પણ સંબંધિત છે. આવકવેરાની કલમ 80C માં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

કલમ 80C શું છે તે જાણો ?

આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરદાતાને તેની આવકમાંથી ચોક્કસ ખર્ચ અને રોકાણો પર મુક્તિ મળે છે. આ કલમ વ્યક્તિની કુલ કરપાત્ર આવકમાંથી વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની કપાતની મંજૂરી આપે છે. જૂના કર માળખા હેઠળ ફક્ત વ્યક્તિગત કરદાતાઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો જ રોકાણ માટે 80C કર મુક્તિ મેળવવા માટે પાત્ર હતા. કોર્પોરેટ એન્ટિટી, ભાગીદારી પેઢીઓ અને અન્ય વ્યવસાયો આવી મુક્તિ માટે હકદાર નથી. તમને જણાવી દઈએ કે ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) જેવી યોજનાઓ કલમ 80C ના દાયરામાં આવે છે.

શું બદલાવ થયો?

નવા બિલમાં કરવામાં આવેલા ફેરફારો અનુસાર કલમ 80C હેઠળ અત્યાર સુધી મળતી કર મુક્તિઓને અલગ અલગ કલમોમાં રાખવામાં આવી છે. હવે કર મુક્તિનો લાભ વિવિધ શ્રેણીઓ અનુસાર ઉપલબ્ધ થશે. એક ટેક્સ કન્સલ્ટન્સી ફર્મના કર્મચારી દ્વારા એક બિઝનેસ મીડિયાને જણાવ્યું હતું કે નવા આવકવેરા બિલમાં આ કલમ 123 વર્તમાન આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80C સાથે સુસંગત હશે. આને અનુસૂચિ XV સાથે વાંચવું જોઈએ, જે બિલનો ભાગ છે અને કલમ 80C હેઠળ લાઇન-વાર આઇટમને વિગતવાર સમજાવે છે.

કરદાતાઓ પર પણ અસર?

આ કલમમાં ફેરફાર કરદાતાને અસર કરશે નહીં. કરદાતાઓને જૂના કર માળખા હેઠળ પહેલાની જેમ જ છૂટ મળતી રહેશે. જ્યારે નવા બિલમાં જણાવાયું છે કે કરદાતાઓએ શોધ અને જપ્તીની કામગીરી દરમિયાન તેમના કમ્પ્યુટર "એક્સેસ કોડ" કર અધિકારીઓ સાથે શેર કરવો પડશે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ SIPથી રોકાણકારોનો મોહભંગ! એક જ મહિનામાં 61 લાખથી વધુ એકાઉન્ટ ક્લોઝ, જાણો કારણ

પ્રકરણોની સંખ્યા ૨૩ છે

આવકવેરા વિભાગે આવકવેરા બિલ 2025 વિશે 'વારંવાર પૂછાતા પ્રશ્નો' (FAQs) જારી કરીને કહ્યું કે નવા બિલમાં પ્રકરણોની સંખ્યા પણ 47 થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આવકવેરા બિલ 2025 માં 57 ટેબલ છે, જ્યારે હાલના કાયદામાં 18 ટેબલ છે. નવા બિલમાં 1,200 જોગવાઈઓ અને 900 સ્પષ્ટતાઓ દૂર કરવામાં આવી છે.

આવકવેરા બિલને લોકસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યું છે અને તેને 10 માર્ચ સુધીમાં તેનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. મુક્તિ અને TDS/TCS સંબંધિત જોગવાઈઓ કોષ્ટક સ્વરૂપમાં મૂકવામાં આવી છે, જ્યારે બિન-લાભકારી સંસ્થાઓ માટે પ્રકરણની ભાષા સરળ બનાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Income Tax Bill 2025 New Income Tax Bill Section 80C lic premium
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ