બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 15 જાન્યુઆરીથી કર્ક સહિત આ 5 રાશિના જાતકોની કિસ્મત રાતોરાત ઉઘડી જશે, લક્ષ્મી સામે ચાલીને આવશે!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:06 PM, 14 January 2025
1/6
આવતીકાલે 15 જાન્યુઆરીના રોજ પુષ્ય નક્ષત્રની સાથે પ્રીતિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. આ સાથે ચંદ્ર દિવસ અને રાત સુધી કર્ક રાશિમાં રહેશે. તો કાલે બુધવારના શાસક ગ્રહ બુધ સૂર્યથી બારમા ભાવમાં થઈને વાશી યોગ બનાવશે. આ સિવાય આવતીકાલે સૂર્ય અને ચંદ્ર સામસામે થઈને સમસપ્તક યોગ બનાવશે જેના કારણે બુધવારના પ્રમુખ દેવતા ભગવાન ગણેશના આશીર્વાદ મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મકર રાશિ પર રહેશે. આવો જાણીએ કે આવતીકાલનો દિવસ આ રાશિ માટે કેવો રહેશે.
2/6
ભગવાન ગણેશની કૃપાથી આવતીકાલે મેષ રાશિ માટે શુભ રહેશે. તમારું અટવાયેલું કામ થોડી મહેનતથી પૂરું થઈ શકે છે. તમે પહેલા કરેલા કામનો લાભ પણ મળશે. નોકરી બદલવાથી ફાયદો થશે. પરિવારમાં તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. તમે જેની પાસેથી મદદ માગશો તે તમને મળશે. નાણાકીય બાબતોમાં ભાગ્યનો સાથે મળશે. ફસાયેલા પૈસા તમને પરત મળશે. તમારું સ્વાસ્થ્ય પણ તમને સંપૂર્ણ રીતે સાથ આપશે. આવતીકાલે તમે ભગવાન ગણેશને સિંદૂર અને 21 દૂર્વા અર્પણ કરવાનો ઉપાય કરી શકો છો.
3/6
કર્ક રાશિના લોકોને આવતીકાલે પોતાની વાણી અને વર્તન કૌશલ્યથી સફળતા મળશે. તમારી માતા તરફથી લાભ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા સાથીઓનો સહકાર મળશે. બેંકિંગ ક્ષેત્રને લગતા કામમાં સફળતા મળશે. જે લોકો વ્યવસાય કે ઘર માટે લોન લેવા માંગે છે તેમને લોન મળશે. તમને અચાનક ધન લાભ પણ મળશે. કોઈપણ શુભ કાર્યમાં જતા પહેલા વરિયાળી અને મિશ્રી ખાવી જોઈએ.
4/6
તુલા રાશિના લોકોને આવતીકાલે મહેનતથી નફો અને સફળતા મળશે. બિઝનેસમાં સારી ડીલ મળી શકે છે. તમને કોઈ જૂના મિત્રની મદદનો મળશે. કોઈ સંબંધી કે પરિચિત વ્યક્તિના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. કાર્યસ્થળમાં સકારાત્મકતા રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આ દિવસે તમે લીલી બંગડીઓ અથવા મગની દાળનું દાન કરો, તે કિન્નરને આપવાથી વધુ ફળ મળશે.
5/6
વૃશ્ચિક રાશિના લોકોનું મન આધ્યાત્મિક વિચારોથી ભરેલું રહેશે. કોઈ શુભ કે ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે. ઉપરી અધિકારીઓનું વર્તન સારું રહેશે. નાણાકીય બાબતોમાં કેટલીક યોજના બનાવવાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે. તમારા મોટા ભાઈથી તાલમેલ રાખવાથી તમને ફાયદો થશે. ખોવાયેલી વસ્તુ મળશે. જો તમારા આસપાસની કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોવ તો ક્ષમતા મુજબ દાન કરો.
6/6
કાલનો દિવસ આ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. જો પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ હોય તો વડીલની મદદથી લાભ મળી શકે છે. નોકરી બદલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સફળતા મળશે. સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. જે લોકો આયાત-નિકાસના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને વિદેશથી મોટો ઓર્ડર મળી શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા હોવ તો જતા પહેલા ગાયત્રી મંત્રનો પાઠ કરો અને તમારા મોંમાં થોડા ધાણા પણ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ