એલોવેરાનું રેગ્યુલર સેવન કરવાથી કેટલીક બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે, ચાલો જાણીએ તેના ફાયદા..
એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક
એક્ઝિમામાં એલોવેરા એક બેસ્ટ દવા તરીકેનું કામ કરે છે
કબિજયાતની તકલીફ છે તો તમે એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરી દો
અનેક લોકોના ઘરમાં તમને એલોવેરાનો છોડ જોવા મળતો હશે. એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એલોવેરાનું તમે રેગ્યુલર સેવન કરો તો કેટલીક બીમારીઓ સામે લડવાની તાકાત આવે છે. જાણો એવી કેટલીક સમસ્યાઓ વિશે કે જેમાં એલોવેરા ફાયદાકારક છે.
એક્ઝિમામાં એલોવેરા
એક્ઝિમામાં એલોવેરા એક બેસ્ટ દવા તરીકેનું કામ કરે છે, જોકે એલોવેરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હીલર અને કૂલિંગ ગુણોથી ભરપૂર છે. એક્ઝિમા એક સ્કિન ડિસીઝ છે, જેમાં ખંજવાળ અને બળતરા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ એિન્ટ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ હોવાથી તે સ્કિનડીસીઝથી બચાવવામાં મદદ કરે છે.
કબિજયાતમાંથી છુટકારો
તમને કબિજયાતની તકલીફ છે તો તમે એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરી દો. તે લેક્ટિવ ગુણોથી ભરપૂર હોય છે, જે પેટ સાફ કરવામાં અને મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે. આ સિવાય એલોવેરા ર્બોવેલ મૂવમેન્ટ અને મળની ગતિને તેજ કરે છે, જેના કારણે તમને કબિજયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
મોંમાં ચાંદાં પડે ત્યારે
ઘણા લોકોને વારંવાર મોંમાં ચાંદાં પડી જતાં હોય છે. મોંમાં ચાંદાં પડવાના કારણે વ્યક્તિ સરખી રીતે જમી પણ શકતી નથી અને તેને બળતરા થાય છે, એવામાં એલોવેરા બેસ્ટ છે. એલોવરા જેલમાં એિન્ટ બેક્ટેરિયલ અને એિન્ટ ફંગલ હોય છે, જે ઇન્ફેક્શનને ઓછું કરે છે. આ સાથે જ પેટની ગરમી અને જીભની બળતરા ઓછી કરવાનું કામ કરે છે.
દાંતમાં કેવિટી થાય ત્યારે
દાંતમાં કેવિટી થવા પર સામાન્ય રીતે અનેક લોકો હેરાન થઇ જતા હોય છે. એવા સંજોગોમાં તમે એલોવેરાનું સેવન કરો છો તો દાંતની આ સમસ્યામાંથી રાહત મળે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસમાં એલોવેરા મુખ્યત્વે બે રીતે કામ કરે છે. એક તો શુગર મેટાબોલિઝમ તેજ કરે છે અને સાથે બીજું એ છે કે આ ઇન્સ્યુલિન પ્રોડક્શનને તેજ કરવાનું કામ કરે છે. આનાથી શુગરનું પ્રમાણ વધતું નથી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ માટે ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એલોવેરા જ્યૂસ પીવો જોઇએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.