આવતીકાલથી નાફેડ ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્યની કુલ 3 APMCમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો માટે ખુશખબર
આવતીકાલથી નાફેડ ડુંગળીની ખરીદી કરશે
રાજ્યની 3 APMCમાંથી કરશે ડુંગળીની ખરીદી
VTV સાથે કૃષિમંત્રી રાઘવજીની વાતચીત
સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આવતીકાલથી નાફેડ ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્યની કુલ 3 APMCમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.
3 APMCમાંથી ડુંગળીની ખરીદી
સૌરાષ્ટ્રનાં ખેડૂતો પાસેથી આવતીકાલથી નાફેડ ડુંગળીની ખરીદી કરવામાં આવશે જેમાં કુલ 3 APMCમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે. ભાવનગર મહુવા APMC સહિત ગોંડલ અને પોરબંદર APMCમાંથી પણ ડુંગળીની ખરીદી આવતીકાલથી કરવામાં આવશે. આ ખરીદી બાદ પેમેન્ટ, ખેડૂતોને ઓનલાઈન મોકલવામાં આવશે.
VTV સાથે કૃષિમંત્રી રાઘવજીની વાતચીત
રાઘવજી પટેલે કહ્યું કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળીમાં નુક્શાન થયુ એની રજૂઆતો કરી હતી અને હવે નાફેડે અત્યારે જાહેરાત કરી દીધી છે. નાફેડ 2 દિવસમાં ડુંગળીની ખરીદી પણ શરૂ કરી દેશે અને ડુંગળીના પુરા ભાવ ખેડૂતોને મળશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે અને હજુ પણ જે APMCમાં ડુંગળીની આવક વધુ હશે તેને સમવવા નાફેડને ભલામણ કરીશું. તેમણે જણાવ્યું કે ખરીદી તાત્કાલિક શરૂ કરવાની વાત છે એટલે નોંધણીની વાત નહીં રહે...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NAFED એ ભારત સરકારનાં આદેશ અનુસાર ગુજરાતમાં ખરીફ ડુંગળીઓની ખરીદી કરશે. ડુંગળીનાં માર્કેટમાં ઘટી રહેલા ભાવોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ નિર્ણય ગુજરાત માટે લીધો છે. આ અંગે ગઈકાલે રાત્રે કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલને કેટલીક રજૂઆત કરી હતી.
આવતીકાલથી ખરીદી શરૂ
ખરીફ ડુંગળીની સિઝન અંતમાં ડુંગળીના ભાવો ઘટી રહ્યાં છે ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવા નાફેડ 3 apmcમાંથી ડુંગળીની ખરીદી કરશે. આ ખરીદી આવતી કાલ એટલે કે 9 માર્ચનાં રોજથી શરૂ કરવામાં આવશે.