1 ઓગસ્ટથી ઘણાં મોટા ફેરફાર થવાના છે. જેમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઈ જશે. આ બદલાવોમાં બેંક લોન, પીએમ કિસાન સ્કીમ, ન્યૂનતમ બેલેન્સ પર ચાર્જ સામેલ છે. જેથી આજે અમે તમને આ બદલાવથી જોડાયેલી માહિતી આપી રહ્યાં છે. ચોક્કસથી વાંચી લેજો નહીંતર તમારું જ નુકસાન થશે.
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યાં છે આ નિયમો
સામાન્ય જનતાના ખિસ્સા પર થશે અસર
5 નિયમો બદલાવાના છે
કાર અને બાઈક ખરીદવી સસ્તું થશે
મોટર વ્હીકલ ઈન્શ્યોરન્સમાં બદલાવ કરવાથી આગામી મહિનાથી નવી કાર અથવા બાઈકની ખરીદી સસ્તી પડી શકે છે. કોરોના દરમિયાન કરોડો લોકોને આનો ફાયદો મળશે. ઈરડાએ કહ્યું કે લોન્ગ ટર્મ પેકેજ પોલિસીને કારણે નવું વાહન ખરીદવું લોકોને મોંઘુ પડી શકે છે. જો તમે પણ નવી કાર અથવા બાઈક ખરીદવા માંગો છો તો 1 ઓગસ્ટ બાદ તમે ઓટો ઈન્શ્યોરન્સ પર ઓછાં પૈસા ખર્ચ કરવા પડશે. ઈરડાએ મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઈન્શ્યોરન્સથી જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમ બાદ નવી કાર ખરીદનાર લોકોને 3 અને 5 વર્ષ માટે નવી કારનું ઈન્શ્યોરન્સ લેવાની જરૂર નહીં પડે.
મિનિમમ બેલેન્સ અને લેણદેણના નિયમમાં ફેરફાર
ઘણી બેંકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના સંતુલનને વધારવા માટે 1 ઓગસ્ટથી મિનિમમ બેલેન્સ પર ચાર્જ લગાવવાની ઘોષણા કરી છે. સાથે જ આ બેંકોમાં ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જિસ લેવામાં આવશે. આ ચાર્જ બેંક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેંક પર લાગુ થશે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં બચત ખાતામાં ઓછામાં ઓછાં 2,000 રૂપિયા રાખવા પડશે, જે અગાઉ 1500 રૂપિયા હતા. 2,000 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તો બેંક મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 75 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તારોમાં 50 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 20 રૂપિયા દર મહિને ચાર્જ લેશે.
10 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રકમ
મોદી સરકારે ગરીબ ખેડૂતો માટે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં પાંચમો હપ્તો નાખી દીધો છે. હવે 1 ઓગસ્ટના રોજ આ યોજના અંતર્ગત મોદી સરકાર 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં મોકલવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો પાંચમો હપ્તો 1 એપ્રિલ, 2020એ જારી કરવામાં આવ્યો હતો. સરકારે યોજનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી દેશના 9.85 કરોડ ખેડૂતોને રોકડ લાભ પહોંચાડ્યું છે.
RBL બેંક સેવિંગ ખાતાના નિયમ બદલાયા
RBLએ હાલમાં સેવિંગ ખાતા પર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવા નિયમો 1 ઓગસ્ટથી લાગૂ કરાશે. હવે સેવિંગ્સ ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરવા માટે 4.75 ટકા વાર્ષિક વ્યાજ મળશે. જ્યારે 1-10 લાખ રૂપિયા જમા કરવાથી 6 ટકા અને 1- લાખથી 5 કરોડ રૂપિયા સુધી જમા કરાવવા માટે 6.75 ટકા વ્યાજ મળશે. બેંકે અન્ય કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે અને તેમાં કહેવાયું છે કે જો ડેબિટ કાર્ડ ખોવાઈ જાય કે ડેમેજ થઈ જાય તો 200 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. હવે ટાઈટેનિયમ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક 250 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે ગ્રાહક એક મહિના સુધી એટીએમથી 5 વખત ફ્રીમાં રૂપિયા કાઢી શકશે.
ઈ-કોમર્સ કંપનીઓએ પ્રોડક્ટના કંટ્રી ઓફ ઓરિજિનની જાણકારી આપવી પડશે
ઈ-કોમર્સ કંપની માટે 1 ઓગસ્ટથી એ બતાવવું જરૂરી થઈ જશે કે જે પ્રોડક્ટને તેઓ ડિલીવરી કરી રહ્યાં છે તે ક્યાં બની છે. જોકે, નવી કંપનીઓએ પહેલાંથી જ આ જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે. તેમાં મિન્ત્રા, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ સહિત ઘણી કંપનીઓ સામેલ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડે બુધવારે કહ્યું કે, તમામ ઈ-કોમર્સ કંપનીઓએ 1 ઓગસ્ટ સુધી બધાં જ ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગના કંટ્રી ઓફ ઓરિજિન વિશે અપડેટ કરવું પડશે.