18-59 વર્ષની ઉંમરના લોકો સરકારી હોસ્પિટલોમાં લઈ શકશે પ્રિકોશન ડોઝ
સરકારે નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું
કેન્દ્ર સરકારે 18થી 59 વર્ષની વયના તમામ લોકોને 15 જુલાઈથી કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાનો મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે સરકારે 15 જુલાઈથી 75 દિવસ સુધી કોરોના પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ણય લીધો છે 75 દિવસના અભિયાન હેઠળ 18થી વધુ વયના લોકો સરકારી હોસ્પિટલોમાં મફતમાં કોરોનાના પ્રિકોશન ડોઝ લઈ શકશે.
આઝાદીના અમૃત કાળ પર નિર્ણય
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું કહ્યું કે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આઝાદી કા અમૃત કાલના અવસર પર, નિર્ણય લેવામાં આવ્યો છે કે 15મી જુલાઈ 2022 થી આગામી 75 દિવસ સુધી, 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
India is celebrating 75 years of independence. On the occasion of Azadi ka Amrit Kaal, it has been decided that from 15th July 2022 till the next 75 days, citizens above 18 years of age will be given booster doses free of cost: Union Minister Anurag Thakur pic.twitter.com/Qai76dFVW7
કોરોના મહામારીમાં હવે દેશમાં 15 જુલાઈથી કોરોનાના પ્રિકોશન ડોઝની શરુઆત થઈ રહી છે. પ્રિકોશન ડોઝની શરુઆતના બે દિવસ પહેલા સરકારે લોકોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે 18-59 વર્ષની ઉંમરના લોકો સરકારી હોસ્પિટલોમાં મફત પ્રિકોશન ડોઝ લઈ શકશે.
75 દિવસનું પ્રિકોશન ડોઝનું વિશેષ અભિયાન
સરકારે 15 જુલાઈથી પ્રિકોશન ડોઝનું 75 દિવસનું અભિયાન શરુ કરવાનો નિર્ણય લીધો છે. 18 થી 59 વર્ષની વયના લોકો સરકારી હોસ્પિટલોમાં 15 જુલાઈથી મફતમાં પ્રિકોશન ડોઝ લઈ શકશે. પ્રિકોશન ડોઝનું અભિયાન 75 દિવસ સુધી ચાલશે એટલે સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં આ અભિયાન ચાલુ રહેશે.
People in 18-59 age group will get free precaution doses of Covid vaccine at government vaccination centres under 75-day special drive likely to begin from July 15: Official sources
અત્યાર સુધી 1 ટકાથી પણ ઓછા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો
અત્યાર સુધીમાં 18-59 વયજૂથના 77 કરોડની લક્ષ્યાંકિત વસ્તીના 1 ટકાથી પણ ઓછા લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. જો કે, 60 કે તેથી વધુ વયના અંદાજિત 16 કરોડ પાત્રતા ધરાવતા લોકોમાંથી લગભગ 26 ટકા તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ મળી ગયો છે, એમ એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું.
કોરોનાના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનું અંતર ઘટ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે તમામ લાભાર્થીઓ માટે કોવિડ -19 રસીના બીજા અને પ્રિકોશન ડોઝ વચ્ચેનું અંતર નવથી ઘટાડીને છ મહિના કરી દીધું હતું. રસીકરણની ગતિને વેગ આપવા અને બૂસ્ટર શોટ્સને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે 1 જૂને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'હર ઘર દસ્તક અભિયાન 2.0' ના બીજા રાઉન્ડની શરૂઆત કરી હતી. હાલ બે મહિનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
96 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 87 ટકાએ બન્ને ડોઝ લીધા
સરકારી આંકડા મુજબ ભારતની 96 ટકા વસ્તીને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 87 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. આ વર્ષે 10 એપ્રિલે, ભારતે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોવિડ -19 રસીના સાવચેતીના ડોઝ આપવાનું શરૂ કર્યું હતું.