વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત સપ્તાહે હિમાચલ પ્રદેશ ખાતે ની વિશ્વની સૌથી મોટી હાઇવે ટનલ 'અટલ ટનલ' ના ઉદ્ઘાટનને કારણે ચીનના ધબકારા વધી ગયા છે. મહિનાઓથી લદ્દાખમાં તણાવ પેદા કરી રહેલા ડ્રેગને અટલ ટનલ પર પોતાના સત્તાવાર મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ટિપ્પણી કરી છે. અને આ ટનલના મુદ્દે ભારતને ગર્ભિત ધમકી આપી છે.
ભારતે બનાવી છે દુનિયાની સૌથી મોટી ટનલ
3 ઓક્ટોબરે પીએમ મોદી એ કર્યું હતું ઉદ્ઘાટન
હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસે બની છે અટલ ટનલ
ચીનના નિષ્ણાંતે લેખમાં જણાવ્યું છે કે ભારત એ આવી ઉશ્કેરણીથી બચવું જોઈએ અને પીપલ્સ લિબરેશન આર્મી PLA ને જો જરૂર પડી તો આ ટનલને તે નકામી પાડી શકે છે. જોકે, ચીને પણ માન્યું છે કે ભારતને સૈન્ય મોરચે અટલ ટનલ થી મદદ મળશે.
ચીને કહ્યું, " આવા રસ્તા લશ્કરી હેતુઓ માટે બનાવાય છે"
સોંગ ઝોંગપિંગ એ ગ્લોબલ ટાઇમ્સ માં લખ્યું છે કે, આ વિસ્તાર જે રીતે પર્વતીય અને પઠારી ક્ષેત્રો ધરાવે છે અને ભાગ્યે જ વસ્તી છે, તેથી આવા માર્ગ મુખ્યત્વે લશ્કરી હેતુ માટે બનાવવામાં આવ્યા છે. અટલ ટનલ ની સાથે જ ભારતીય સૈન્ય ને વહેલી તકે સરહદ પર તૈનાત કરવામાં આવશે. આ સિવાય આ ટનલ દ્વારા સૈન્યની સપ્લાય ચેઈનને પણ વ્યવસ્થિત કરી શકાય છે. જો કે આ સત્ય છે કે આ સુરંગ ભારત ના અન્ય ભાગોથી લેહનું અંતર ઘટાડશે. ''
ટનલ ભારતીય સૈનિકો માટે મદદરૂપ થશે
ગ્લોબલ ટાઇમ્સ ના લેખમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "આ ટનલ ભારતીય સૈનિકો અને તેમની પુરવઠા લાઈન માટે ઘણી મદદગાર સાબિત થશે." પરંતુ, યુદ્ધ સમયે ટનલનો કોઈ ફાયદો થશે નહીં. ખાસ કરીને જો લશ્કરી યુદ્ધ થાય તો પીપલ્સ લિબરેશન આર્મી ઓફ ચાઇના PLA આ ટનલને નકામી બનાવી દેશે."
આ આર્ટિકલ દ્વારા ચીન એ એવો મેસેજ આપ્યો છે કે ભારતે ઉશ્કેરણી ટાળવી જોઈએ. લેખમાં કહેવામાં આવ્યું છે કે, "ચીન અને ભારત માટે એકબીજા સાથે શાંતિ રહે તે વધુ સારું છે." ભારતે પોતાને રોકી રાખવું જોઈએ અને ઉશ્કેરણી કરવી ટાળવી જોઈએ કારણ કે ભારત ની લડાઇ ક્ષમતામાં વધારો કરી શકે તેવો કોઈ રસ્તો નથી. છેવટે, ચીન અને ભારત વચ્ચે યુદ્ધની અસરકારકતામાં મોટો તફાવત છે. ભારત ચીનના સ્તરે પહોંચવાથી હજુ ઘણું દૂર છે.''
ભારત સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરી રહ્યું છે
ભારત છેલ્લા કેટલાક સમયથી સરહદી વિસ્તારો પર સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે. ચીને પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ગ્લોબલ ટાઇમ્સ એ લખ્યું છે કે ભારત ચીન સાથેની સરહદ પર રસ્તા, પુલ અને અન્ય માળખાગત નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે. 255 કિ.મી. લાંબી દરબુક-શ્યોક-દૌલાત બેગ ઓલ્ડિ DBO રસ્તો લગભગ બે દાયકા પછી ગયા વર્ષે પૂર્ણ થયો હતો.
આ રસ્તો પર્વત પરથી લદ્દાખ ક્ષેત્ર તરફ જાય છે. આ રસ્તાઓ ઉપરાંત, ભારત સરકારે ચીન સાથેની સરહદ પર 73 વ્યૂહાત્મક રસ્તાઓની ઓળખાણ કરી લીધી છે, જેને તેઓ આગામી સમયમાં બનાવવાની ચાલુ રાખશે.
અટલ ટનલ મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડશે
નોંધનીય છે કે ગત સપ્તાહે અટલ ટનલનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીને લાહૌલ સ્પીતી અને લેહ-લદાખ સાથે જોડશે. અટલ ટનલનું દક્ષિણ પોર્ટલ મનાલીથી 25 કિલોમીટરના અંતરે, લગભગ 3060 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ ટનલ નો ઉત્તરીય છેડો લાહોલ ખીણમાં સીસુના તેલિંગ ગામમાં 3071 મીટરની ઊંચાઈએ સ્થિત છે.
46 કિલોમીટર ટૂંકી લેહ-લદાખ ની સીમા સુધી પહોંચવા માટે નવ કિલોમીટર લાંબી અટલ ટનલ ના નિર્માણ સાથે, આ ટનલ ભારતીય સૈન્યને વ્યૂહાત્મક શક્તિ પ્રદાન કરશે. સૈન્યને સરહદ પર પહોંચવામાં ઓછો સમય લાગશે અને બરફવર્ષા દરમિયાન લશ્કરી ચીજોની પરિવહન કરવામાં પણ સરળતા રહેશે.