દેશભરમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. મિત્રતા એક એવો અનોખો સંબંધ છે, જેને દિલથી નિભાવવામાં આવે છે.
ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે
મિત્રતા એ અનોખો સબંધ જે વારસામાં નથી મળતો
મિત્રો સાથે તમે સુખ દુખ બધું જ વહેચણી કરી શકો
દેશભરમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. દરેક માણસના જીવનમાં દરેક સંબંધનું પોતાનું મહત્વ હોય છે. મિત્રતા એક એવો અનોખો સંબંધ છે, જેને દિલથી નિભાવવામાં આવે તો તેની વચ્ચે કોઇ આવી શકતું નથી. સુખ-દુઃખના સમયમાં દરેક વ્યક્તિને એક એવી વ્યક્તિની જરૂર હોય છે જેના ખભા પર તે ખભે માથું રાખીને રડી શકે. જેના પર તમે ગુસ્સે થઈ શકો, તમે તમારો હક જતાવી શકો છો. તમારી ખુશીઓ બતાવી શકો. આ અનોખા સંબંધની ઉજવણી માટે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.
આ દિવસ હોય છે ખાસ
આ દિવસે ફ્રેન્ડશિપ બેન્ડને ફ્રેન્ડના હાથમાં બાંધીને ફ્રેન્ડશિપ વ્યક્ત કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ મિત્રતા પર ઊંડી છાપ ઊભી કરવા માટે એક સરળ નાના ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે પણ તેને અપનાવશો, તો સમજો કે તમારી મિત્રતા પર ભગવાનનો મોહર લાગી જશે. ત્યારે આ સંબંધમાં ક્યારેય તિરાડ નહી પડે. આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાં શું બાંધવું.
કાંડા પર બાંધો આ એક વસ્તુ
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રના હાથે બજારોમાં મળતા બેન્ડને બદલે લાલ દોરો બાંધવો જોઈએ. લાલ દોરાનો ઉપયોગ કરવા પાછળનું કારણ મંગળ અને બુધ છે. એવું માનવામાં આવે છે કે બુધનો વસ્ત્ર સાથે સંબંધ છે અને મંગળનું પ્રતીક લાલ રંગનું છે તેથી દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. જો ફ્રેન્ડશિપ ડે પર તમે આ લાલ દોરો તમારા મિત્રના હાથમાં બાંધશો તો તમારી મિત્રતા જીવનભર સુરક્ષિત રહેશે.
નવા મિત્રોને પણ આ બેન્ડ બાંધી શકો
સાથે જ જો તમારો કોઈ મિત્ર ન હોય, અને તમે કોઈની સાથે મિત્રતા કરવા માંગતા હોવ તો આ ઉપાય પણ આ માટે અત્યંત ચમત્કારી છે. તેને બાંધવાથી તમારી મિત્રતામાં વધારો થશે. આ સાથે વાસ્તુમાં કેટલીક એવી વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિની મિત્રતામાં ખટાશ આવી શકે છે.
આ જ કારણોથી મિત્રતાના સંબંધો કડવા બને છે
વાસ્તુમાં કેટલાક કારણો આપવામાં આવ્યા છે, જે મિત્રતા વચ્ચેના સંબંધોને બગાડે છે. મિત્રતામાં કાળા રંગના કપડાનો વ્યવહાર પણ સંબંધોને બગાડે છે. મિત્રતાને ભેટમાં રૂમાલ અને અત્તર વગેરે ભેટમાં આપવાથી પણ મિત્રતામાં ઝઘડા થાય છે. સાથે જ શનિવારે કોઈ મિત્ર સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવાથી બચો.