મુંબઇઃ નહેરૂ કોલોનીમાં રહેતા અવિનાશ શાહે એસ.પી. ક્રાઈમ લોકેશ્વર સિંહને કહ્યું કે જસમીત અને આરૂષિ નામની બે સ્ત્રીઓ WhatsApp દ્વારા એમના સંપર્કમાં આવી હતી. તેણે ચેટિંગ દરમિયાન બિઝનેસ બમણો કરવાની લાલચ આપી હતી.
ઉલ્લેખનીય છે કે પોલીસના જણાવ્યા પ્રમાણે અવિનાશ શાહે લાલચમાં આવીને એ સ્ત્રીઓના ખાતામાં 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કાર્યા હતા. પરંતુ એના પછી બંને યુવતીઓએ વાત કરવાની બંધ કરી દીધી હતી. આથી અવિનાશ શાહને વહેમ પડયો અને એસ.પી. ક્રાઈમના ઑર્ડર ઉપર નહેરૂ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
મહત્વનું છે કે ક્લેમેટટાઉન વિસ્તારમાં પણ લાખોની ઠગાઈની વાત બહાર આવી હતી. અહીં આરોપીએ એક પાદરીને શિકાર બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રભુ દયાલે ફરિયાદ નોધાવી છે કે એમને પણ યાકુબ નામના એક માણસે સામાજિક સંસ્થા ખોલવાની લાલચ આપી હતી.
સંસ્થાની નોંધણી અને બીજી જરૂરીયાતો પૂરી કરવાના નામ ઉપર આરોપી દ્વારા થોડા-થોડા કરીને 4 લાખ 10 હજાર રૂપિયાની રકમ લઇ જવામાં આવી છે. પરંતુ સંસ્થાને લગતું કોઈ કામ કરવામાં આવ્યું નથી. પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપીની કાર્યવાહી હાથ ધરી છે.