નવા વર્ષની શરૂઆત શુક્રવારથી થઈ છે. આ શુક્રદેવનો દિવસ છે. શુક્ર દેવ ભૌતિક સુખ, સંપન્નતાના કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં માન્યતા છે તે શુક્રવારના દિવસે શુક્ર ગ્રહની સાથે વિશેષ ઉપાયો કરી લેવાથી ભૌતિક સંપન્નતા બની રહે છે. આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીનો આર્શિવાદ મળે છે અને જાતકની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.
નવ વર્ષની શરૂઆત શુક્રવારથી
શુક્ર ભૌતિક સુખ, સંપન્નતાના કારક
આજે 5માંથી 1 ઉપાય કરવાથી પણ મળશે ધનલાભ
આ મંત્રનો જાપ કરો
શુક્ર ગ્રહની શુભતા મેળવવા માટે શુક્રવારના દિવસે વ્રત કરો અને સાથે શુક્ર સંબંધી ચીજોનું દાન કરો. શુક્રદેવના ॐ शुं शुक्राय नम: અથવા ॐ हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं મંત્રનો જાપ કરો. તેનાથી તમને ધનલાભ થઈ શકે છે. તમે ઈચ્છો તે અનુસાર આ મંત્રના જાપ કરી શકો છો. મંત્રજાપ જેટલા વધારે કરશો તેટલું વધારે પુણ્ય તમને મળી શકે છે. તો આજે અચૂક કરી લો આ મંત્રનો જાપ અને મેળવો શુક્ર દેવની અસીમ કૃપા.
સાફ સફાઈનું રાખો ધ્યાન
શરીર અને ઘરની સાફ સફાઈ ન રાખવાના કારણે પણ શુક્ર ગ્રહની નકારાત્મક અસરનો સામનો કરવો પડી શકે છે. આ માટે શુક્રવારે શુક્રને પ્રસન્ન કરવાના હેતુથી સ્વયંને અને ઘરને સાફ રાખવું જરૂરી છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા થતી હોવાથી લાલ કપડાંને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. આ સિવાય તમે ઘરના ઉંબરા પર સાથિયો કરો. તેનાથી પણ દેવી લક્ષ્મી તમારા ઘર તરફ આર્કષિત થાય છે. સાંજના સમયે ઉંબરા પર અને તલુસીના ક્યારામાં ધીનો દીવો કરવાથી પણ ધન તમારા ઘર તરફ આર્કષિત થાય છે.
આ રંગની વસ્તુઓનો કરો ઉપયોગ
શુક્ર ગ્રહ સફેદ રંગનો સ્વામી છે. આ માટે શુક્રવારે શુક્રની પસંદની સફેદ રંગની વસ્તુઓનો પ્રયોગ કરો. આ દિવસે સફેદ કપડાં પહેરવાની કોશિશ કરો અથવા ખિસ્સામાં સફેદ રૂમાલ રાખી લો. જો તમે આ દિવસે સફેદ કપડાં પહેરો તો તે વધારે શુભ રહે છે. ભોજનમાં પણ સફેદ વસ્તુનો ઉપયોગ કરો.
આ ચીજોનું કરી લો દાન
શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ચોખા, ખાંડ, લોટ, ઘી, મિસરી, સફેદ કપડાં, ખીર વગેરેનું દાન શુભ માનવામાં આવે છે. શુક્રની શુભતા માટે કીડીઓને ખાંડ અને સફેદ ગાયને લોટ ખવડાવવો. આમ કરવાથી પણ શુક્ર દેવ પ્રસન્ન થાય છે. આ દરેક વસ્તુનું યથાશક્તિ દાન કરવાથી શુભ ફળ મળે છે.
મા લક્ષ્મીની કરો પૂજો
શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા વિશેષ ફળ આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ અવશ્ય કરો.