ધનની દેવી લક્ષ્મીની પૂજા દરરોજ કરવાથી ધનની કમી નથી રહેતી, પરંતુ લક્ષ્મીજીની પૂજામાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીં તો ધનવાન પણ કંગાલ બની જાય છે.
દરરોજ કરો માતા લક્ષ્મીની પૂજા
ઘરમાં નહીં થાય ધનની કમી
પૂજામાં આ વસ્તુનો ભૂલથી પણ ના કરતા ઉપયોગ
દેવી લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાની મનાઈ છે. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના લગ્ન તુલસી સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો તુલસી સાથે અણબનાવ છે. જો ધનની દેવીની પૂજામાં તુલસી અથવા તેની માંજરનો ઉપયોગ કરવામાં આવે તો તે નારાજ થઈ શકે છે. તેનાથી ખરાબ સમય શરૂ થઈ શકે છે.
લાલ રંગના ફૂલોથી કરો માતા લક્ષ્મીની પૂજા
લાલ ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. મા લક્ષ્મીની પૂજા ફક્ત લાલ ફૂલથી કરો. ભૂલથી પણ ક્યારેય સફેદ રંગના ફૂલ અથવા કોઈ સફેદ વસ્તુ ન ચઢાવો, તેનાથી દેવી નારાજ થઈ શકે છે.
ભગવાન વિષ્ણુની પૂજા કર્યા વિના મહાલક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે. શુક્રવાર વ્રત અથવા કોઈ પણ દિવસે ગણેશ વંદના બાદ લક્ષ્મી-નારાયણનું પૂજન કરો.
લક્ષ્મીજીની આવી મુર્તિની કરો પૂજા
લક્ષ્મીજીની એવી તસવીરોની પૂજા ન કરવી જોઈએ જેમાં તે પોતાના વાહન ઘુવડ પર સવાર હોય. કહેવાય છે કે આ સ્વરૂપની પૂજા કરવાથી ધનના આવવાના રસ્તા બંધ થઈ જાય છે અને ધનની હાનિ થાય છે. ઘરના લોકો માટે બેઠેલી લક્ષ્મી માતાજીની મૂર્તિ અથવા તસવીર શુભ માનવામાં આવે છે.
પૂજામાં આ વસ્તુઓનું રાખો ધ્યાન
લક્ષ્મી પૂજામાં દીવામાં લાલ બાતી લગાવો. સાથે જ મા લક્ષ્મીની તસવીરની જમણી તરફ દીવો રાખો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને અગ્નિ અને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. દેવી લક્ષ્મીના પતિ હોવાના કારણે તે હંમેશા તેમની જમણી બાજુએ બેસે છે.