પાકિસ્તાની મૂળના નાગરિકોએ ફરી એકવાર ભારતીય દૂતાવાસની બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. વિશ્વભરમાં પાકિસ્તાનને કાશ્મીર મામલે કોઈનો સાથ ન મળતાં હવે લંડનમાં પાકિસ્તાની મૂળના પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ પર ઈંડા, ટમાટર અને પથ્થર ફેંક્યા છે.
જેમાં દૂતાવાસની બિલ્ડિંગના કેટલાક કાચ ડેમેજ થયા છે. આ પૂર્વે 15 ઓગસ્ટે પણ ભારતીય દૂતાવાસ પર ભારતીય મૂળના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનીઓએ આ વિરોધ પ્રદર્શનને કશ્મીર ફ્રિડમ માર્ચ નામ આપ્યું હતું. જેમાં પ્રદર્શનકારીઓના હાથમાં PoKના ઝંડા અને પ્લેકાર્ડ દેખાયા હતા.
જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સતત ભારતના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. કાશ્મીરના વિરોધને લઇને એકવાર ફરી લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર પાકિસ્તાની સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.
પાકિસ્તાની સમર્થકોએ મંગળવારે ભારતીય દૂતાવાસની બિલ્ડીંગમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ભારતીય દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં પહોંચેલા પાકિસ્તાની મૂળના પ્રદર્શનકારીઓએ 370 કલમ હટાવવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પથરાવ કર્યો હતો.
જેના કારણે ભારતીય દૂતાવાસની બિલ્ડીંગને નુકસાન પહોંચ્યું હતું. જો કે ત્યારબાદ સૂત્રોચ્ચાર કરી રહેલા પાકિસ્તાની મૂળના પ્રદર્શનકારીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે એક મહિનાની અંદર બીજી વખત મૂળ પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ બીજી વખત ભારતીય દૂતાવાસને નિશાન બનાવ્યું છે. આ અગાઉ પણ 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાની સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું.