ઘણીવાર લોકોને એવું ફીલ થાય છે કે તેમને સામાન્ય કરતાં વધુવાર પેશાબ કરવા માટે જવું પડી રહ્યું છે. વારંવાર યૂરિન આવવું એક મોટી પરેશાની છે, કારણ કે તેના કારણે રોજિંદા જીવનમાં પરેશાની થવા લાગે છે. રાતે ઊંઘ ખરાબ થાય છે. ઘણીવખત આપણે બહાર ગયા હોઈએ ત્યારે પણ શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. સામાન્ય વ્યક્તિને દિવસમાં 4થી 8 વખત પેશાબ આવે છે. જો તમારા કેસમાં આનુ પ્રમાણ વધુ હોય તો તે સારા સંકેત નથી અને તેની અવગણના ન કરવી જોઈએ.
વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તો ધ્યાન આપો
આખા દિવસમાં 8વાપ પેશાબ કરવો નોર્મલ છે
આ તકલીફ માટે અપનાવો 4 બેસ્ટ દેશી ઉપચાર
વારંવાર પેશાબ આવવાના કારણેમાં યૂરિન ટ્રેક્ટ ઈન્ફેક્શન, પેશાબ થવામાં પ્રોબ્લેમ થવો, પ્રોસ્ટેટ વધવું, મૂત્રાશયની પથરી, ગર્ભાવસ્થા, પેલ્વિસમાં ટ્યૂમર વગેરે સામેલ છે. એટલું જ નહીં વધુ પ્રમાણમાં દારૂનું સેવન ચિંતા અને ડાયાબિટીસને કારણે પણ આ સમસ્યા થાય છે. જોકે, કેટલાક સચોટ ઘરેલૂ ઉપાયોથી આ સમસ્યા પર નિયંત્રણ લાવી શકાય છે. ચાલો જાણીએ.
વારંવાર પેશાબ આવવાની સમસ્યા માટેના ઉપાય
તલ અને ગોળ
તલ અને ગોળ 1-1 ચમચી મિક્સ કરીને ખાઓ. આ ઉપાય ત્યાં સુધી કરો જ્યાં સુધી આ સમસ્યા દૂર ન થઈ જાય. તલ શરીરમાં થતાં સંક્રમણથી છુટકારો અપાવે છે.
મેથી
10 દાણા મેથીના પીસીને પાઉડર બનાવી લો, તેમાં 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી મધ મિક્સ કરીને ખાઈ લો. આ પેસ્ટનું સેવન દિવસમાં એકવાર જ કરવું. આનાથી વારંવાર પેશાબ આવવાની તકલીફ દૂર થઈ જશે.
દહીં
રોજ સવારે અથવા બપોરે 1 વાટકી દહીં ખાવાનું રાખો. તેમાં નેચરલ એન્ટીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ હોય છે, જે હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરે છે. પાચનતંત્ર અને કિડનીને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના કારણે પેશાબથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
આમળા
આમળાનું સેવન બ્લેડર સંક્રમણને દૂર કરે છે. સાથે જ વારવાર પેશાબ આવવાની સમસ્યાથી પણ બચાવે છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી ઓવરઓલ હેલ્થને પણ સુધારે છે. તમે 1 આમળાને 1 ચમચી મધમાં ડુબાડીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય કેળા સાથે આમળાનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે.