શું તમને રાત્રે વારંવાર પેશાબ જવા ઉઠવુ પડે છે? જો હા તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો, તમને હોઇ શકે છે આ બીમારી
રાત્રે વારંવાર પેશાબ કરવા જવુ પડે છે ?
ડોક્ટરનો તુરંત કરો સંપર્ક
તમને હોઇ શકે છે નોક્ટુરિયા
આપણી હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે પુરતા પ્રમાણમાં ઉંઘ લેવી જરુરી છે. ઉંઘ ન લેવાથી દિવસ સારો જતો નથી. બેચેની અનુભવાય છે. પરંતુ જે લોકોને રાત્રે ઉંઘ આવતી નથી તેનું શું. તેની પાછળનું કારણ ટેન્શન હોઇ શકે પરંતુ ઘણા લોકોમાં એક બીજુ પણ કારણ જોવા મળ્યુ છે અને તે છે વારંવાર પેશાબ કરવા જવુ પડે. જી, હા, રાત્રે વારંવાર પેશાબ જવુ પડતું હોવાથી રાતની ઉંઘ હરામ થાય છે.જો તમને પણ આવી સમસ્યા હોય તો સાવધાન થઇ જજો. ડોક્ટરને તુરંત જ સંપર્ક કરો..
રાત્રે વારંવાર પેશાબ કરવા જવુ એ બીમારી ?
તબીબોના મતે, રાત્રે એક કે બે વાર પેશાબ કરવો સામાન્ય બાબત છે, પરંતુ જો આના કરતા વધુ વખત શૌચાલય જવાની જરૂર હોય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમારી તબિયત સારી નથી અને તેને તબીબી ભાષામાં નોક્ટુરિયા કહેવામાં આવે છે.
આ કારણો છે જવાબદાર
રાત્રે વારંવાર પેશાબ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં અસ્વસ્થ જીવનશૈલી અને ખરાબ ટેવોનો સમાવેશ થાય છે. ધૂમ્રપાન, દારૂનું સેવન, વધુ ચા-કોફી પીવાથી, ટેન્શન અને ચિંતાથી દૂર રહેવું જરૂરી છે.
નોક્ટુરિયા શા માટે થાય છે?
વૃદ્ધાવસ્થા અને હોર્મોનલ ફેરફારોને કારણે પણ નોક્ટુરિયા થઈ શકે છે. આ રોગ ભલે કેન્સર જેટલો ખતરનાક ન હોય, પરંતુ ક્યારેક તેના ચોંકાવનારા પરિણામો સામે આવે છે. આ રોગમાં યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ)ની ફરિયાદ પણ રહે છે, જેના કારણે માત્ર વારંવાર પેશાબ જ નથી થતો પરંતુ પેટમાં દુખાવો પણ થઈ શકે છે.
સજાગ રહો
વારંવાર પેશાબની સમસ્યા પ્રોસ્ટેટ કેન્સર પણ સૂચવી શકે છે, તેથી સમયસર તેની તપાસ કરાવવી જરૂરી છે. ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર રાત્રે આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારું વજન ઘટી રહ્યું છે, વારંવાર તરસ લાગે છે અથવા તમારા પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ વધી રહી છે તો સાવધાન થઈ જાવ.