2009માં મનીષ પાંડે IPL ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. પરંતુ છેલ્લા કેટલા સમયથી તેનું બેટ એકદમ શાંત છે. જે તેના માટે ખતરાની ઘંટડી છે.
હૈદરાબાદનો ક્રિકેટર મનીષ પાંડે ફરી એક વખત ફ્લોપ સાબિત થયો
શારજાહમાં રમાયેલી મેચમાં મનીષ પાંડે સૌને નિરાશ કર્યા હતાં
આ સિઝનમાં મનીષનું પ્રદર્શન ઘણું નિરાશા જનક રહ્યું છે
હૈદરાબાદનો ક્રિકેટર મનીષ પાંડે ફરી એક વખત ફ્લોપ સાબિત થયો
વર્ષ 2009માં મનીષ પાંડે આઈપીએલ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. પરંતુ છેલ્લા કેટલા સમયથી તેનું બેટ એકદમ શાંત છે. જે તેના માટે ખતરાની ઘંટડી છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો ક્રિકેટર મનીષ પાંડે ફરી એક વખત ફ્લોપ સાબિત થયો છે. આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં તેનું બેટ શાંત થઈ ગયું છે.
શારજાહમાં રમાયેલી મેચમાં મનીષ પાંડે સૌને નિરાશ કર્યા હતાં
શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ અને હૈદરાબાદમાં વચ્ચે રમાયેલી મેચમાં મનીષ પાંડે ચોથા નંબર ઉતર્યો હતો. અને 13 બોલમાં માત્ર 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં રવિ બિશ્નોઈએ તેને બોલ્ડ કર્યો હતો.મહત્વનું છે કે, 22મી સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં મનીષ પાંડે માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. સનરાઈર્સ હૈદરાબાદ તેને વારંવાર તક આપે છે. પરંતુ તે પોતાનું પ્રદશર્ન સુધારી શકતો નથી
આ સિઝનમાં મનીષનું પ્રદર્શન ઘણું નિરાશા જનક રહ્યું છે
મનીષ પાંડેએ આઈપીએલ 2021 ની 7 મેચમાં 37.16 ની સરેરાશ અને 114.35 ની સ્ટ્રાઈક રેટ પર 223 રન બનાવ્યા હતા. જોકે તેણે આ સિઝનમાં 2 અર્ધ સદી ફટકારી છે, પરંતુ તેની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને બચાવવા નિષ્ફળ રહી છે.ઉલ્લેખનીય છે કે, મનીષ પાંડેનું પત્તું પહેલાથી જ ટીમ ઇન્ડિયામાંથી કાપી નાખવામાં આવ્યું છે અને હવે આઈપીએલમાં આ ખેલાડીની કારકિર્દી પણ ખતમ થવાની આરે છે. ઉલ્લેખનીય છે કે, મનીષને ICC ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.