ચૂંટણીના સમયે રાજકીય પાર્ટીઓ તરફથી આપવામાં આવતી મફતના સામાનની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરી હતી.
ચૂંટણીના સમયે મફતની જાહેરાતોના મામલે SCમાં થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો મોટો આદેશ
આગામી સુનાવણી ગુરૂવારે થશે
ચૂંટણીના સમયે રાજકીય પાર્ટીઓ તરફથી આપવામાં આવતી મફતના સામાનની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણાએ કહ્યું કે, લાંબી સુનાવણી કરવાથી તેનો હલ નિકળશે નહીં. નિષ્ણાંત નાણાકીય સંસ્થાઓ તેનો વિમર્શ કરીને સરકાર અમને રિપોર્ટ સોંપે. આરબીઆઈ, નીતિ આયોગ સહિત અન્ય સંસ્થાઓ અને વિપક્ષી પાર્ટીઓને સાથે લઈને એક કમિટી બનાવો અને કોર્ટ સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરો. કોર્ટ આ મામલે આગામી સુનાવણી ગુરૂવારે કરશે.
રાજકીય પાર્ટીઓ તરફથી ચૂંટણી પહેલા મફતના સામાન આપવાની જાહેરાત પર રોકવાની માગનું કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક રીતે સમર્થન કર્યું હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આવી રીતે ઘોષણાથી અર્થવ્યવસ્થા પર બોઝ પડે છે. આ ચૂંટણી પંચ પર છોડી દેવુ જોઈએ. ચૂંટણી પંચ પોતાના સ્ટેન્ડ પર ફેરવિચારણ કરે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ સંબંધમાં ચૂંટણી પંચના અધિકાર મર્યાદિત છે. ચૂંટણી પંચ આ મામલે કંઈ કરી શકે નહીં.
સોલિસિટર જનરલે કહ્યું આ અંગે કહ્યું હતું કે, તેનાથી અર્થવ્યવસ્થા પર બોઝ પડે છે. પણ ચૂંટણી પંચે ફરી એક વાર તેની સમીક્ષા કરવાનો મોકો આપવો જોઈએ. આ બહુ ગંભીર મુદ્દો છે. સરકાર અને ચૂંટણી પંચે વિચાર કરીને તેના પર સ્પષ્ટ મત આપવો જોઈએ. સીજેઆઈએ ફરીથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ટિપ્પણી માગી છે. સિબ્બલે કહ્યું કે, આરબીઆઈ અને નીતિ આયોગ પાસેથી રાય લેવી જોઈએ. મેહતાએ વાંધો ઉઠાવતા કહ્યું કે,મત આપવાથી તેનો હલ નિકળશે નહીં. સોમવારે એક વ્યાપક રિપોર્ટ આપને મળશે.