રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે કોરોનાકાળના 2 વર્ષ બાદ આજે હર્ષોલ્લાસથી ઉજવાશે રક્ષાબંધનનું પર્વ
સુરત અને અમદાવાદમાં સિટીબસમાં આજે બહેનો-બાળકોને નિશુલ્ક મુસાફરી
રક્ષાબંધન પર્વ નિમિતે મહાપાલિકાનો નિર્ણય
આજે બહેન-ભાઈના પ્રવિત્ર સુ'રક્ષાબંધન' પર્વ નિમિતે સુરત અને અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. આજે સુરતમાં સિટીબસ-BRTS બસમાં બહેનો-બાળકોને નિશુલ્ક મુસાફરી કરી શકશે જેમાં બાળકોની ઉંમર મર્યાદા 15 વર્ષ સુધી રાખવામાં આવી છે. મહત્વનું છે કે સુરત શહેરમાં સિટીબસ-BRTS બસ મળીને 600થી વધુ બસ દોડી રહી છે.
10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો નિર્ણય
રક્ષાબંધનના દિવસે મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે તે પ્રકારે AMTSએ મહત્વની જાહેરાત કરી છે. રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે. જો કે, બીજી બાજુ બસમાં કેટલી મહિલાઓ બેસી શકશે તેની હજુ સુધી કંઇ સ્પષ્ટતા નથી કરાઇ.મહત્વનું છે કે, અગાઉ રક્ષાબંધનના પર્વ માટે અડધી ટિકિટની જાહેરાત કરાઈ હતી. જ્યારે અંતે AMC દ્વારા આ નિર્ણય બદલી રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
108ના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
રક્ષાબંધનના તહેવારમાં રોડ પર લોકોની અવરજવર વધવાના કારણે માર્ગ અકસ્માત અને અન્ય અકસ્માત ની સંખ્યામાં વધારો થાય છે આ ઉપરાંત આ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાંબી રજા હોવાના કારણે મેડિકલ ઇમરજન્સી કેસ વધવાનું 108 નું અનુમાન છે 108 ના અનુમાન મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે ઈમરજન્સી કેસો માં 11.76% વધારો થશે જેમાં રોડ અકસ્માતો ના કેસો 127 ટકા જ્યારે ઋતુના કારણે તાવના કેસોમાં 9% નો વધારો થવાનું 108 નું અનુમાન છે
ગત વર્ષે 2.90 લાખની આવક થઇ હતી
કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21નું રક્ષાબંધન પર્વ ભારે ફિક્કું બન્યું હતું. તે વર્ષે તંત્રે રોડ પર માત્ર 352 બસ મૂકાઇ હતી અને માત્ર 1063 બાળકો અને 5178 મહિલાઓએ ક્રમશઃ રૂ. પાંચ અને રૂ. 10ની ટિકિટનો લાભ લીધો હતો. વર્ષ 2020-21 ના રક્ષાબંધને ફક્ત ૪૨ હજાર મહિલા-બાળકોએ મુસાફરી કરતા તંત્રને રૂ. 2.90 લાખની આવક થઈ હતી.જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ની 22 ઓગસ્ટે આવેલા રક્ષાબંધને કોરોના ઓછો છતાં તંત્રે ૫૫૮ બસ રોડ પર મૂકતાં ૪૧૯૮ બાળકો અને ૨૦,૪૦૨ મહિલાઓએ તેનો લાભ લીધો હતો. તે દિવસે કુલ રૂ. ૨.૬૯ લાખ મહિલાઓથી તંત્રને રૂ. 10.95 લાખનો વકરો થયો હતો તેમ ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે
AMC દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના પણ શરૂ કરાઇ છે
એ સિવાય બીજી બાજુ હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે AMTSએ ધાર્મિક યાત્રા પણ શરૂ કરી છે. કારણ કે, શ્રાવણ માસમાં લોકો મંદિરોમાં વિશેષ દર્શનનો લ્હાવો લેતા હોય છે. આથી, આ યોજનાના ભાગરૂપે હાલમાં અમદાવાદ અને ગાંધીનગરનાં 23 જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન કરાવવામાં આવી રહ્યાં છે.
ગત વર્ષે 2.90 લાખની આવક થઇ હતી