સમાજવાદ પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના તેમના કાકા શિવપાલ અને ગઠબંધનના સાથી ઓપી રાજભર સાથેના સંબંધો બગડ્યાં છે.
કાકા શિવપાલ અને ઓપી રાજભર સાથે અખિલેશના સંબંધો બગડ્યાં
બન્નેને સંભળાવી દીધું, જ્યાં સન્માન મળતું હોય ત્યાં જજો રહો
અખિલેશના નિવેદન બાદ બન્ને સપામાંથી દૂર હટી શકે છે
યુપી વિધાનસભા ચૂંટણી બાદ સપા ગઠબંધનમાં તિરાડ વધી રહી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ સિંહ યાદવ અને સોહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરના ક્રોસ વોટિંગથી સપા નારાજ છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હવે શિવપાલ અને રાજભરને મુક્ત કરી દીધા છે.
સપાએ શિવપાલ અને રાજભરને અલગ અલગ લેટર લખ્યો
સમાજવાદી પાર્ટીએ શનિવારે શિવપાલ અને ઓ પી રાજભરને અલગ-અલગ પત્ર જારી કરીને કહ્યું કે જો તમને લાગે કે તમને વધુ સન્માન મળશે તો ત્યાં જાવ, તમે જ્યાં ઇચ્છો ત્યાં જવા માટે સ્વતંત્ર છો. સપાએ રાજભરને પત્ર જાહેર કરતા લખ્યું કે ઓમ પ્રકાશ રાજભર સમાજવાદી પાર્ટી સતત ભાજપ સામે લડી રહી છે. તમે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને ભાજપને મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છો. જો તમને લાગતું હોય કે તમને વધુ આદર મળશે, તો તમે ત્યાં જવા માટે સ્વતંત્ર છો.
Samajwadi Party issues letters to Pragatisheel Samajwadi party chief Shivpal Singh Yadav and SBSP chief OP Rajbhar stating "...You are free to go anywhere you feel you are getting more respect." pic.twitter.com/BR5Igvfp6N
અમારા પત્રના કારણે સપામાં ક્રોસ વોટિંગઃ શિવપાલ યાદવ
સપા ધારાસભ્ય શિવપાલ યાદવે કહ્યું છે કે સપામાં તેમના પત્રના કારણે ક્રોસ વોટિંગ થયું હતું. તેમના પત્રની અસર કટ્ટર સમાજવાદીઓ પર પડી છે. તેથી જ સપાના ધારાસભ્યોએ મુર્મૂની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ નેતાજી મુલાયમ સિંહને આઈએસઆઈના એજન્ટ ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં, અમે તેમને ક્યારેય ટેકો આપી શકતા નથી.
Today they (SP) have given divorce & we've accepted that. Next step is BSP. When I meet CM Yogi Adityanath it's bad for them but it's good if Akhilesh Yadav meets CM. Everything will be clear by 2024. We fight for Dalits & backwards & will continue to do so: SBSP chief OP Rajbhar pic.twitter.com/NkG3fi7wfr
અખિલેશ યાદવના છૂટાછેડા આવકાર્ય- ઓમ પ્રકાશ રાજભર
સપાના પત્ર પર ઓમ પ્રકાશ રાજભરનું નિવેદન હવે સામે આવ્યું છે. રાજભરે કહ્યું કે અખિલેશ યાદવના છૂટાછેડા આવકાર્ય છે. હું લડતો રહ્યો, પણ કશું થયું નહીં. અખિલેશ પોતાની મરજીથી કામ કરે છે. રાજભરે વધુમાં કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં બધુ ક્લિયર થઈ જશે.