વન ગુજરાત વન ડાયાલિસિસ તરફ રાજ્ય સરકારનો પ્રયાસ, 79 જીડીપી સેન્ટર ખાતે દર્દીઓ ગમે ત્યારે કરાવી શકશે ફ્રી મેળવી શકશે આ સુવિધા
રાજયમાં નિઃશુલ્ક ડાયાલિસિસ સેવા
કિડની રિસર્ચ સેન્ટરનો નવો અભિગમ
નોંધણી કરાયા બાદ દર્દીઓને મળશે લાભ
ગુજરાતમાં દિન પ્રતિદિન ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓ એટલી હદે વધુ રહ્યા છે કે ગુજરાતની સાથે સાથે અમદાવાદ ડાયાબિટીસના મામલામાં કેપિટલ બની રહ્યું છે. અને આ ડાયાબીટીસ કીડની ફેલ્યોર માટે સૌથી વધુ જવાબદાર હોવાની ડોકટર્સ જણાવી રહ્યા છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં સાડા 6 હજારથી વધુ દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે એટલા કે આ તમામ દર્દીઓને કિડનીની જરૂરીયાત છે. આ દર્દીઓમાં ડાયાલિસિસ ના 40% દર્દીઓ ડાયાબિટીસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
હવે રાજયમાં કયાંય પણ નિઃશુલ્ક ડાયાલિસિસ સેવા મળશે
ડાયાલિસિસના હજારો દર્દીઓને મોટી રાહત આપતા સમાચાર છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રાજ્યમાં ક્યાંય પણ કોઇને પણ નિઃશુલ્ક ડાયાલિસિસ સેવાઓ પુરી પાડવા ' વન ગુજરાત - વન ડાયાલિસિસ યોજના અમલમાં મૂકી છે. આઇકેડીઆરસીના ડાયરેક્ટર ડૉ . વિનીત મિશ્રાએ જણાવ્યું કે કિડની હોસ્પિટલ દ્વારા દર મહિને 25 હજાર અને દર વર્ષે 3 લાખથી વધુ ડાયાલિસિસ થાય છે. આખા ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ની જરૂરીયાત દોઢથી 2 લાખની છે. ગુજરાત માં ડાયાલિસિસ સાડા 6 હજાર દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે. દર વર્ષે 20થી 25 ટકાનો ઉમેરો થઈ રહ્યો છે.
79 જીડીપી સેન્ટર ખાતે દર્દીઓ ગમે ત્યારે કરાવી શકશે ડાયાલિસિસ
હવે આખા રાજ્યમાં કોઈપણ જીડીપી સેન્ટર્સમાં ડાયાલિસિસ કરવાની સુવિધા દરિયાકાંઠાના અને આદિવાસી ક્ષેત્રમાં નવા જીડીપી સેન્ટર્સ ઉભા કરાશે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં સાડા 6 હજારથી વધુ દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે.એનો મતલબ એ કે આ દર્દીઓને કિડની સારવાર જરૂરીયાત છે. સિવિલ હોસ્પિટલ અને સરકારના પ્રયાસોથી સોટ્ટો પ્રોગ્રામ હેઠળ ઘણી અવેરનેસ ઓર્ગન ડોનેટમાં આવી છે. હજુ લોકો અંગદાનને લઈ જાગૃત થાય તે જરૂરી છે. હવે 79 જીડીપી સેન્ટર ખાતે દર્દીઓ ગમે ત્યારે ડાયાલિસિસ કરાવી શકશે નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં દરિયા કાંઠાના સેન્ટર્સનો ઉમેરો થશે. હાલ આઈકેડીઆરસી દ્વારા સંચાલિત 500 મશીનોથી જીડીપી સેન્ટર્સમાં દર મહિને 25 હજારથી વધુ ડાયાલિસિસ થઈ રહ્યા છે.