રાજ્યમાં ફી નિર્ધારણ સમિતિએ દરેક શાળાઓ માટે ફી નિર્ધારિત કરી હોવા છતાં હજુ પણ ઘણી શાળાઓ ફી વસૂલવામાં મનમાની કરી રહી છે. ફી નિયમનને વળગી રહેનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કાયદાની ઐસી તૈસી કરીને શાળા બહાર કાઢી મૂકવામાં આવે છે.
રાજ્યમાં ફી નિર્ધારણ સમિતિએ દરેક શાળાઓ માટે ફી નિર્ધારિત કરી હોવા છતાં હજુ પણ ઘણી શાળાઓ ફી વસૂલવામાં મનમાની કરી રહી છે. ફી નિયમનને વળગી રહેનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કાયદાની ઐસી તૈસી કરીને શાળા બહાર કાઢી મૂકવામાં આવે છે.
આખરે કાયદાની એવી તો કઈ નબળી કડી છે કે જેનો ઉપયોગ શાળા સંચાલકો પોતાના હથિયાર તરીકે કરી રહ્યા છે. અને ફી નિર્ધારણ મંડળના ઘડવૈયાઓ તમાશો જોવા મજબૂર બન્યા છે. ફી રેગ્યુલેશન કમિટી એટલે કે એફઆરસીના નિયમો બાદ પણ હજુ પણ અનેક શાળાઓ ફી ઉઘરાવવા બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે મનમાની કરી રહી છે. કેટલીક શાળાઓને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ વર્તી રહી છે. એટલે જ તો દર મહિને રાજ્યની કોઈને કોઈ ખાનગી શાળાનું પરિસર ફી મામલે વાલીઓ અને સંચાલકો માટે સંઘર્ષનું સમરાંગણ બની જાય છે. ત્યારે તેમાં એક નવી સ્કૂલની મનમાનીનો ઉમેરો થયો છે.
ગાંધીનગર ખાતે આવેલી ગ્લોબ ઈન્ટરનેશલન સ્કૂલમાં વાલીઓ એ આશા સાથે બાળકોને મુકવા ગયા હતા કે, બાળકોમાં પ્રામાણિકતાના પાઠ શીખવતી આ શાળાઓ પણ કાયદાને શિરોમાન્ય ગણીને ફી વસૂલશે. પરંતુ વાલીઓનો ભરમ ત્યારે ભાંગી ગયો જ્યારે ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ ફી નિર્ધારણને વળગી રહેલા બાળકોને શાળામાં પ્રવેશ ન આપ્યો.
FRCએ કરેલા હુકમ મુજબ જ પોતાના બાળકોને શાળા એડમિશન મળે તે માટે વાલીઓ ગયા હતા પરંતુ શાળા સંચાકોએ નિયમો શાળા બહાર મૂકી અને શરમ નેવે મૂકીને બાળકો અને વાલીઓને કશો પ્રતિભાવ આપ્યા વગર સ્કૂલમાંથી બહાર કાઢી મૂક્યા. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા હતા.
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફીની મનમાનીના સંઘર્ષમાં હાલ તો વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. FRCના ચુકાદાનું પાલન નહીં કરતી શાળા સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એફઆરસીના પણ શાળાના નિયમ પ્રમાણે હજુ સુધી ફી ન ભરનાર વાલીઓના બાળકોના એડમિશન જ શાળાએ રદ કરી દીધા છે. અને હવે જ્યાં સુધી શાળા માગે તેટલી ફી વાલીઓ ન ભરે ત્યાં સુધી સંચાલકોએ એડમિશન નહીં આપવાનું જણાવી દીધું છે.
વાલીઓએ શાળામાં ઘણી રજૂઆત કરી જોઈ પણ કોઈ ફેર ન પડયો તો આખરે વાલીઓ છેક મુખ્યમંત્રી પાસે દાદ માગવા પહોચવાનું યોગ્ય માન્યું. જો કે કમલમ ખાતે સીએમને મળવા પહોંચેલા વાલીઓને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ વાલીઓ માટે રાહતની વાત એ રહી કે, પ્રવ~તા ભરત પંડયાએ વાલીઓને સાંભળીને તેમની સમસ્યા હલ કરવાની હૈયાધારણ આપી.
શિક્ષણ એ સરકારની જવાબદારી બને છે છેતાં પણ ખાનગીકરણના આ માહોલમાં કોઈ શિક્ષણક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુ~ત સેવા આપતું હોય તો તેના માટે પણ સરકારે વ્યવસ્થા કરેલી છે. પરંતુ જ્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ
પોતાને સરકાર તરફથી મળતી સવલતને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનો ઈજારો સમજી લે છે ત્યારે ન માત્ર શિક્ષણનું સ્તર કથળે છે પરંતુ નાગરિક તરીકેની દેશ પ્રત્યેની ફરજ પણ નેવે મૂકાઈ જાય છે અને આ તરફ કાયદાના ઘડવૈયાઓ મજબૂરીવશ તમાશબીન બની જાય છે. નહિતર એક સ્કૂલના સંચાલકોને કાયદો તોડવાની હિંમત આવે ક્યાંથી? જરૂર કંઈક મિલીભગતમાં જ રંધાઈ રહ્યું છે.