અમદાવાદ શહેરમાં નાના-મોટા ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે. નવા નરોડામાં રહેતા રિટાયર્ડ આર્મીમેન આકાશભાઈ સાથે ઠગાઈ કિસ્સો સામે આવ્યો છે
જૂની કાર લે વેચનો ધંધો કરવાના નામે ઠગાઈ
રોકાણ કરો" આવું કહીને લોકો સાથે છેતરપિંડી
પોલીસ ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
અમદાવાદ શહેરમાં નાના-મોટા ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે. નવા નરોડામાં રહેતા રિટાયર્ડ આર્મીમેન આકાશભાઈ સાથે ઠગાઈ કિસ્સો સામે આવ્યો છે વસ્ત્રાલમાં આવેલ વૈદેહી ફલેટમાં રહેતા આરોપી એ છેલ્લા કેટલાક વર્ષોમાં આચરેલા ગુનાઓનો પર્દાફાશ થયો છે. નિવૃત્ત આર્મી આકાશભાઈ સાથે જુની કારની લે-વેચ માટે વોટએપ પર ધંધો શરૂ કર્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આ ઠગે ગાડીની લે-વેચ કરતા હોવાનું જણાવીને રોકાણ કરવાનું કહી રૂપિયા 21.95 લાખની ઠગાઈ કરી છે સમગ્ર મામલે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી
આ અગાઉ આરોપીએ વર્ષ 2020માં વાસણા વિસ્તારમાં રહેતા જયેશકુમાર કરશનભાઈ ચાવડાના રૂપિયા 10,85,000 રૂપિયાનું કરી નાખ્યું હતું. ફરિયાદીએ તેમને પણ ગાડીની લે-વેચ મામલે મિત્રતાના નામે રૂપિયા આપ્યા હતા અને બાદમાં પાછા આપનાનું કહેતા મોં ફેરવી લીધું હતું આરોપીએ જયેશકુમાર પાસેથી ટુકડે-ટુકડે કરીને રૂપિયા 14,55,100 રૂપિયાનું પડાવ્યા હોનું સામ આવ્યું છે જેની જયેશકુમારે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી હતી. આ અગાઉ આ જ શખ્સ રાકેશકુમારનો દિકરો પ્રતીક તેમજ પત્ની પ્રિયા પાલે મળીને આ રીતે નવા નવા લોકોનો શિકાર કરતા હોવાનું સામે આવ્યું છે.
નવા નવા લોકોને બનાવે છે શિકાર
2019માં પણ વાસણા ખાતે આવો ગુનો આચર્યો હતો. બાપ-દિકરો મળીને છેલ્લા કેટલાય વર્ષોથી ગુનાઓ આચરતા રહે છે અને પોલીસની પકડમાંથી છટકી જાય છે. આ સિવાય તેમના અન્ય ત્રણ સાથીદારો નિખીલેશ મહેશ્વરી ગેંગ પણ છે, જેઓ આવા જ કાંડ કરવાત તેને વકીલ સહિત નો ખર્ચો પુરુ પાડે છે, અને તે પોલીસની પકડમાંથી છટકી જાય છે. 2019માં પોપ્યુલર ઈન્ડિયા પ્રા.લિ. કંપનીના એકાઉન્ટ મેનેજર તેજસભાઈ ભીખાભાઈ પટેલ આરોપી પ્રતિકપાલ સાથે કામકાજ કરતા હતા. તેમની સાથે પણ છેતરપીંડી થઈ હતી.
પ્રતીકે ગ્રાહકો પાસેથી મળેલ 2,65,068 રૂપિયાનો વિશ્વાસઘાત કર્યો હતો, જેની પોલીસ ચોપડે ફરિયાદ પણ થઈ હતી.
અનેક જગ્યાએ નોંધાઈ પોલીસ ફરિયાદ
આ સમગ્ર બાબતની જાણ પ્રતિકપાલના કારનામાંની ફરિયાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને 27 જાન્યુઆરી 2021 ના રોજ જયેશ ચાવડાએ કરી હતી પણ આ ફરીયાદ સામે અમદાવાદ શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ જ કાર્યવાહી કરી નથી કે પાકી ફરિયાદ પણ નોંધી નથી. આર્મીમેન સાથે જો 22 લાખની છેતરપિંડીની ફરિયાદ જે રીતે રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે, એજ રીતે ચીટર પ્રતિકપાલ સામે જયેશ ચાવડાની ફરિયાદ વાસણા પોલીસમાં કરવામાં આવી છે છતા પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે અને પોલીસ અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.