જામનગર જિલ્લાનાં બજરંગપૂર ગામમાં ઘણા ખેડૂતોને આવી કંપનીમાંથી ફોન આવ્યા હતાં. ગામમાંથી અંદાજે 15થી વધારે ખેડૂતો આ સરકારી યોજના સમજી અને લોભામણી જાહેરાતને સાચી જાહેરાત માની ગયા હતાં. તેનાં કારણે ગામનાં 2થી 3 ખેડૂતો નાણાં ભરીને આ છેતરપિંડીનો ભોગ બન્યાં છે. ખેડૂતો સાથે અજ્ઞાત તત્વો દ્વારા છેતરપિંડી એ આજકાલ છાશવારે પ્રકાશમાં આવતી ઘટના બની ગઈ છે. કેમ કે, ખેતી કરીને જગતના ભંડાર ભરતા ખેડૂતોનાં ભોળપણને લાભ લેવા કેટલાક તત્વો હંમેશા સક્રીય જ હોય છે. ત્યારે એક નવો કિસ્સો આમતો જામનગરથી પ્રકાશમાં આવ્યો છે.
ખેડૂત (farmers) નાં નામે કે ખેડૂતની સાથે છેતરપિંડી (fraud) સામાન્ય બાબત બની ગઈ છે. સબસિડીની વાત હોય કે ખાતર-બિયારણની વાત હોય કે પછી સરકારની સહાય યોજનાનાં નામે અન્ય પ્રલોભનો હોય. ખેડૂત હંમેશા છેતરાતો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં હાલ સબસિડીની યોજના હેઠળ છેતરપિંડી કરનાર શખ્સો સક્રિય થયા છે. જુનાગઢની એક ખાનગી અને અજ્ઞાત પેઢી ખેત સામગ્રીમાં સબસીડીની લાલચ આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
ખેડૂતો સાથે અજ્ઞાત તત્વો દ્વારા છેતરપિંડી એ આજકાલ છાશવારે પ્રકાશમાં આવતી ઘટના બની ગઈ છે. કેમ કે, ખેતી કરીને જગતના ભંડાર ભરતા ખેડૂતોનાં ભોળપણને લાભ લેવા કેટલાક તત્વો હંમેશા સક્રીય જ હોય છે. ત્યારે એક નવો કિસ્સો આમતો જામનગરથી પ્રકાશમાં આવ્યો છે. પરંતુ તેનું કનેક્શન જૂનાગઢ સાથે જોવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લાની એગ્રો ફાર્મ સોલ્યૂસન નામની પેઢી દ્વારા ગામડાઓમાં ખેડૂતોને ફોન કરવામાં આવે છે અને ફોનમાં તેઓને સરકારી યોજનાનાં નામે તેમણે બેટરી વાળા પંપ અને જંતુનાશક દવા તેમજ તાલપત્રી આપવામાં આવશે તેવો વિશ્વાસ આપવામાં આવે છે.
ફક્ત 1430 રૂપિયામાં ખેડૂતને જંતુનાશક દવા, તાલપત્રી અને બેટરીવાળો પંપ આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે તૈયારી બતાવે એટલે પોસ્ટ મારફતે તેમને પાર્સલ મોકલવામાં આવે છે પરંતુ તેમાં ફક્ત અંદાજિત 100 રૂપિયાની કિમતની જંતુનાશક દવા તેમજ 300થી 350ની કિંમતની નબળી ગુણવતાવાળી તાલપત્રી જ આવે છે.
જો કે તેની સાથે સાથે બેટરીવાળો પંપ આવતો નથી. પંપ બે ત્રણ દિવસમાં આવી આવશે તેવું કહેવામાં આવે છે. જો કે તેમ છતાં પોસ્ટમાં ખેડૂતને 1430 રૂપિયા પાર્સલનાં અને 100 રૂપિયા પાર્સલનાં ચાર્જિસ એમ કુલ મળીને 1530 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવે છે. આવા અનેક ફોન જામનગર જિલ્લાનાં ખેડૂતો પર પણ આવ્યાં હતાં. જો કે, ખેડૂતોની જાગૃતિનાં કારણે અનેક ખેડૂતો છેતરપિંડીનો ભોગ બનતા અટક્યા છે.
જામનગર જિલ્લાનાં બજરંગપૂર ગામમાં ઘણા ખેડૂતોને આવી કંપનીમાંથી ફોન આવ્યા હતાં. ગામમાંથી અંદાજે 15થી વધારે ખેડૂતો આ સરકારી યોજના સમજી અને લોભામણી જાહેરાતને સાચી જાહેરાત માની ગયા હતાં. તેનાં કારણે ગામનાં 2થી 3 ખેડૂતો નાણાં ભરીને આ છેતરપિંડીનો ભોગ બન્યાં છે. આ ખેડૂતોને માત્ર જંતુનાશક દવા અને નબળી ગુણવતાવાળી તાલપત્રી જ મળી પરંતુ બેટરીવાળો પંપ આવ્યો જ નહીં. જુનાગઢની પેઢીએ અનેક ગરીબ ખેડૂતો પાસેથી પરસેવાની કમાણીનાં રૂપિયા આ રીતે હડકંપ કરી લીધાં છે. બિચારો લાચાર ખેડૂત ક્યાં ફરિયાદ કરે?
બજરંગપુરમાં બનેલ આ બનાવ બાદ ભોગ બનનાર ખેડૂતો દ્વારા ત્યાના ખેડૂત આગેવાનને જાણ કરવામાં આવી. આગેવાન દ્વારા આ પ્રકરણનાં મૂળ સુધી પહોંચવાનાં પ્રયાસો હાથ ધરાયા. તેણે આવી કોઈ યોજના છે કે નહીં તે અંગે માહિતી મેળવવાની કવાયત હાથ ધરી. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું. આવી કોઈ સરકારી યોજના છે જ નહીં એમ સાબિત થઇ જતા. બજરંગપૂરનાં ખેડૂતોએ પોસ્ટમાં આવેલ 20 જેટલા પાર્સલ પરત મોકલી દીધાં.
જો કે આ અંગે વાત ખેતીવાડી અધિકારી સુધી પહોંચી તો તેમણે ખેડૂતોને આવી કોઈ લાલચમાં નહીં તણાવાની શીખામણ આપી છે. ખેતીવાડી શાખાએ આ બાબતની તપાસ કરાવતા સત્ય ઉજાગર થયું છે. જીલ્લાનાં કોઈ ખેડૂતોએ પોસ્ટમાં આવતા આવા ખેત સામગ્રી વિષય પાર્સલ નહીં છોડાવવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આઈ કિસાન પોર્ટલમાં દર્શાવાતી યોજના સિવાય કોઈ અજાણી સંસ્થાઓનાં પ્રલોભનોમાં ફસાઈ જવું નહીં. દર વર્ષે અજાણી સંસ્થાઓ કે અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડીનાં કિસ્સા બનતા રહે છે. ત્યારે ખેડૂતોએ સજાગ રહેવા સાથે સરકારે પણ આવા તત્વોને ઉઘાડા પાડીને કડક સજા કરવી જોઈએ જેથી કરીને વધારે ખેડૂતો છેતરપિંડીના જાળમાં ફસાતા બચી શકે.