જૂનાગઢઃ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો સરકારના મળતીયાઓથી તદ્દન નારાજ છે. સામાન્ય ખેડૂતની સારી ગુણવત્તા વાળી મગફળીને નબળી ગણાવી માળિયાઓની મગફળી ખરીદવામાં આવી રહી છે. વજનમાં દર 30 કીલોની ભરતીમાં 150 ગ્રામની વધારાની કડ કાપીને ખેડૂતને ખંખેરવામાં આવી રહ્યા છે.
જ્યારે ખેડૂતોની મગફળી બે-બે દિવસ સુધી ગોડાઉનમાં રાખીને ત્રીજા દિવસે સવારે સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલમાં ભેજનું પ્રમાણ સહેજ પણ વધારે જણાતા મગફળી રીજેક્ટ કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં સ્વભાવિક રીતે સવારના સમયમાં ભેજ રહેતો હોય છે.
ત્યારે ખરીદીમાં આ રીતે દાદાગીરી કરીને સામાન્ય ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની આંખોની સામે મળતિયાઓનો રિજેક્ટ થયેલો માલ ખરીદવામાં આવે છે.