ખેડૂતને વળતરમાંથી અધિકારીના વહીવટના નામે કટકી કરી ખેડૂત સાથે રૂપિયા 52 લાખની છેતરપિંડી કરવામાં આવી
ગોધરામાં ખેડૂત સાથે લાખોની છેતરપિંડી
સંપાદિત જમીનના વળતરને લઇ છેતરપિંડી
અધિકારીના વહીવટના નામે પડાવ્યા લાખો રૂપિયા
ગોધરાના દારૂણીયા ગામના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી ઘટના સામે આવી છે, ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વળતર મુદ્દે ખેડૂત નફિસ શેખ સાથે 52 લાખ રૂપિયાની છેતરપિંડી થતા હડકંપ મચી ગયો છે.
ગોધરામાં ખેડૂત સાથે લાખોની છેતરપિંડી
વહીવટના નામે ખેડૂત પાસેથી ઇમરાન શેખે નાણા પડાવ્યાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખેડૂતને વળતરમાંથી અધિકારીના વહીવટના નામે કટકી કરી ખેડૂત સાથે રૂપિયા 52 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ખેડૂતને મળેલા 1.04 કરોડમાંથી 52 લાખની વેચેટિયા કટકી કરી ગયા હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
સંપાદિત જમીનના વળતરને લઇ છેતરપિંડી
છેતરપિંડી આચરનારે અરજદારનું બેંકમાં ખાતુ ખોલાવીને કોરો ચેક પર સહીઓ કરાવી લીધી હતી ત્યારે બાદ 52 લાખના ચેક પર સહીં કરાવીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. જો કે સમગ્ર મામલે સામે આવતા તપાસની માંગ ઉઠી છે. ત્યારે પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીએ વચેટિયાની અધિકારીએ અને બેંક કર્મીઓ સાથે સાઠગાંઠ મુદ્દે તપાસની માંગ કરી છે. છેતરપિંડીની આ ઘટના અનેક સવાલ ઉઠી રહ્યા છે. પહેલા તો એ કે ખેડૂતને વળતર મળે તેમાંથઈ પણ વહીવટ આપવો પડે ? વળતર આપાવવા માટે હંમેશા તૈયાર રહેતા વચેટિયાઓ અને અધિકારીઓ સાથે કોઈ સાઠગાંઠ છે કે નહીં ? ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે ત્યારે બેંન્ક કર્મીઓ પણ છેતરપિંડીમાં સામેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે.
જમીન માલિક નફિસ શેખ સાથે 52 લાખની છેતરપિંડી
ગોધરાના દારૂણીયા ગામના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. ખેડૂત નફિસ શેખ સાથે 52 લાખની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના વળતરમાં છેતરપિંડી કરાઇ છે. ખેડૂતને વળતરમાંથી અધિકારીના વહીવટના નામે કટકીના આરોપ લગાવાયા છે. વહીવટના નામે ખેડૂત પાસેથી ઇમરાન શેખ નામના વ્યક્તિએ નાણા પડાવી લીધા છે. ખેડૂતને મળેલા 1.04 કરોડમાંથી 52 લાખની વચેટિયાએ કટકી કરી. અરજદારનું બેંકમાં ખાતુ ખોલાવી કોરા ચેક પર સહીઓ કરાવી દીધી. વચેચિયાએ 52 લાખના ચેક પર સહી કરાવી અને પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. ત્યારે આ અંગે પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીએ એજન્સી પાસે તપાસની માગ કરી છે. અને વચેટિયાની અધિકારીઓ-બેંક કર્મીઓ સાથે સાઠગાંઠની તપાસની પણ માગ કરાઇ છે.