એક ક્રિકેટરની જિંદગી મેદાન સુધી જ માત્ર સીમિત નથી રહેતી, તે દેશ અને સમાજમાં પણ ઘણું બધું કરી શકે છે. આની એક મિસાલ મળે છે વેસ્ટ ઇન્ડીઝનાં પૂર્વ કેપ્ટન ફ્રેંક વૉરેલની જિંદગીમાં. 51 ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમની આગેવાની કરનાર વૉરેલનું મોત લગભગ 42 વર્ષની ઉંમરમાં જ થઇ ગયું પરંતુ તેઓ પોતાની પાછળ એક છાપ છોડી ગયાં જેથી વિંડીઝ ટીમને ખૂબ આગળ જવાનો રસ્તો આપી દીધો.
એક ક્રિકેટરની જિંદગી મેદાન સુધી જ માત્ર સીમિત નથી રહેતી, તે દેશ અને સમાજમાં પણ ઘણું બધું કરી શકે છે. આની એક મિસાલ મળે છે વેસ્ટ ઇન્ડીઝનાં પૂર્વ કેપ્ટન ફ્રેંક વૉરેલની જિંદગીમાં. 51 ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમની આગેવાની કરનાર વૉરેલનું મોત લગભગ 42 વર્ષની ઉંમરમાં જ થઇ ગયું પરંતુ તેઓ પોતાની પાછળ એક છાપ છોડી ગયાં જેથી વિંડીઝ ટીમને ખૂબ આગળ જવાનો રસ્તો આપી દીધો.
વૉરેલ વિંડીઝ ક્રિકેટમાં પહેલાં અશ્વેત કેપ્ટન બન્યાં. 1960 પહેલાં સુધી અહીં ગોરાઓનું જ ચાલતુ હતું. અશ્વેત લોકોને આ કાબિલ ન હોતા સમજવામાં આવતા હતાં કે તે ક્યાંક આગેવાની કરી શકે છે. ત્યાંનાં કેટલાંક વર્તમાનપત્રોએ આ કેમ્પેઇન ચલાવ્યું કે વૉરેલને ઓસ્ટ્રેલિયા મુલાકાતને લઇ કેપ્ટનશીપ આપવામાં આવે. આખરે 1960-61માં વૉરેલને કેપ્ટન બનાવવામાં આવ્યાં અને આ મહાન ક્રિકેટરે પાછળ ફરીને ના જોયું. વિરોધી ટીમોને લઇને પોતાનાં દેશનાં ખેલાડીઓએ ફ્રેંક વૉરેલની રમત અને કેપ્ટનશિપની ખૂબ પ્રશંસા કરી.
ફ્રેંક વૉરેલને લઇને એક કિસ્સો ઇન્ડીયા સાથે પણ જોડાયેલ છે. જ્યારે 1962માં ટીમ ઇન્ડીયા વેસ્ટ ઇન્ડીઝની મુલાકાતે હતી ત્યારે ભારતીય કેપ્ટન નારી કોન્ટ્રાક્ટર બેટિંગ કરતા ચાર્લી ગ્રિફિત બાઉન્સર પર ભયાનક રૂપથી ઘાયલ થઇ ગયાં. એટલાં ઘાયલ કે તેઓને તુરંત હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં અને ત્યાં જ ઓપરેશન થયું. ફ્રેંક વૉરેલે હોસ્પિટલ પહોંચીને બ્લડ ડોનેટ કર્યુ. ત્યારથી કોલકાતાનાં ઇડન ગાર્ડન્સમાં તે દિવસને ફ્રેંક વૉરેલ ડેનાં રૂપમાં મનાવવામાં આવે છે અને તે દિવસે ખૂબ સારા બ્લડ ડોનેશન કેમ્પ પણ લગાવવામાં આવે છે.