પાકિસ્તાનની વિરુધ્ધ ભારતને મોટી કૂટનિતિક સફળતા મળી છે. દુનિયાના ત્રણ તાકતવર દેશ અમેરિકા બ્રિટેન અને ફ્રાંસ મસૂદ અઝહર પર પ્રતબિંધ લગાવવા એકવાર ફરી સયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લાવશે.
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન તરફ ચોતરફથી દબાવ બનાવ્યો છે. પુલવામા હુમલા બાદ વિશ્વના અનેક દેશો ભારતને સમર્થન આપી ચૂક્યાં છે. પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જૈશ-એ-મહોમ્મદનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં છુપાઇને બેઠો છે.
આ હુમલાના છ દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પાસે પુરવા માગ્યા હતા. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાને આ હુમલાની નિંદા પણ કરી નહોતી. એક મળતાં અહેવાલ મુજબ થોડા દિવસોમાં ફ્રાંસ સયુંક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લાવવાનો પ્રસ્તાવ રાખશે.
આવુ બીજી વખત બનશે કે ફ્રાંસ સયુંકત રાષ્ટ્રમાં આવો કોઇ પ્રસ્તાવ રાખવા માટે પક્ષકાર બનશે. 2017માં અમેરિકાએ બ્રિટેન અને ફ્રાંસના સમર્થનથી સયુંક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિમાં 1267માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.
જેમાં પાકિસ્તાનમાં આવેલ આતંકી સંગઠન જૈશના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવાની માગ કરાઇ હતી. જો કે આ પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યો હતો. ફ્રાંસના આ નિર્ણ પર ફ્રાંસના રાષ્ટ્રપતિ તેમજ કૂટનીતિક સલાહકાર ફિલિપ એતિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે ગઇકાલે ટેલિફોનિક વાતચીત થઇ હતી.
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળ પર થયેલા આતંકી હુમલા જવાબદાર જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ અઝહર પર પ્રતિબંધ માટે ફ્રાંસ આગળ આવ્યું છે. ફ્રાંસે નિર્ણય કર્યો છે કે તેઓ જલ્દી જ મસૂદ અઝહર પર પ્રતિબંધ કરવા સયુંક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રાખશે.