અફઘાનિસ્તાનની સમસ્યાને લઈને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે જાહેરાત કરી હતી કે અમે એ નાગરિકોને એકલા નહીં છોડી જેણે અમારી મદદ કરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કરી મોટી જાહેરાત
કહ્યું, અમે અફઘાનીઓને એકલા નહીં છોડી દઈએ
બે વિમાન અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મોકલશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અફઘાનિસ્તાનમાં ચાલતા સંકટના મામલે મોટી જાહેરાત કરી હતી. સોમવારે મેક્રોને કરેલી જાહેરાતમાં તેણે જણાવ્યું હતું કે અમે અફઘાનિસ્તાનના એ નાગરિકોને તાલિબાનો વચ્ચે એકલા નહીં છોડી દઈએ જેમણે અમારા માટે કર્યા છે.
કોણ છે આ લોકો?
આઅ લોકોમાં કર્મચારીઓ, રસોઈ બનાવનાર લોકો, અનુવાદકો, કલાકારો અને અન્ય લોકો સામેલ છે. મેક્રોને જણાવ્યું હતું કે એ લોકો જેમને ફ્રાન્સની મદદ કરી છે તેમની રક્ષા કરવી જરૂરી છે.
શું કરશે વ્યવસ્થા?
તેમણે જણાવ્યું હતું કે સૈન્ય થોડા જ સમયમાં વિશેષ મિલિટન્ટસ સાથે બે વિમાન અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મોકલશે. મેક્રોનના એક રેકોર્ડેડ ભાષણ મુજબ તો હજુ એ નક્કી નથી થઈ શક્યું કે કેટલા લોકો અફઘાનિસ્તાનથી બહાર લઈ આવવામાં આવશે. ફ્રાંસ પહેલાથી જ 1400 અફઘાન કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર લઈ આવ્યું હતું.
ડિસેમ્બર 2014 માં પણ ફ્રાન્સે પોતાના તમામ સૈનિકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢી લીધા હતા. પરંતુ હવે ત્યાં નાગરિકો અને સમાજ સંસ્થાઓ વચ્ચે આજે પણ કામ કરી રહ્યું છે. બીજી તરફ ભારતીયો દ્વારા પણ સરકારને અરજ કરવામાં આવી હતી કે અમને અહીંથી કાઢો
ભારતીયોને બચાવવામાં લાગ્યું ભારત
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે.
સરકારને કહેવા માંગીએ છીએ કે અમને અહીંથી કાઢો- ભારતીય
અફઘાનિસ્તાનના કાબૂલમાં આ સમય સેંકડોં ભારતીય ફસાયેલા છે. જે ઘરે પાછા આવવા માંગે છે. કાબૂલની એક ફેક્ટ્રીમાં ફસાયેલા આવા 18 ભારતીય કર્મચારીઓએ પોતાની વેદના એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં ઠાલવી હતી. કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપનીએ પાસપોર્ટ રાખી લીધો છે અને તેમને પાછા આવવા નથી દઈ રહ્યા. ફસાયેલા કર્મચારીઓનું કહેવું છે કે હાલ કોઈ રીતે અમે કંપનીમાં સેફ છીએ પણ સરકારને કહેવા માંગીએ છીએ કે અમને અહીંથી કાઢો.