ફાંન્સના સટાયરિકલ મેગેઝીન શાર્લી એબ્ડોએ પૈગમ્બર મોહમ્મદના તે કાર્ટુનોને ફરી પ્રકાશિત કર્યા છે જેના કારણે વર્ષ 2015માં આતંકવાદી હુમલાનું નિશાન બની હતી.
શાર્લી એબ્ડોએ પૈગમ્બર મોહમ્મદના તે કાર્ટુનોને ફરી પ્રકાશિત કર્યા
શાર્લી એબ્ડોની ઓફિસ પર હુમલાના 14 મદદગારો પરનો કેસ શરુ થવાનો છે
જેના કારણે વર્ષ 2015માં આતંકવાદી હુમલાનું નિશાન બની હતી
આ કાર્ટુનોને એવા સમયે પ્રકાશિત કરવામાં આવ્યા છે જ્યારે તેના એક દિવસ બાદ 2015ના રોજ શાર્લી એબ્ડોની ઓફિસ પર હુમલો કરનારાઓને મદદ કરનારાના 14 આરોપી પર કેસ શરુ થવાનો છે. આ હુમલામાં મેગેઝીનના કાર્ટુનિસ્ટ સહિત 12 લોકોના મોત થયા હતા. થોડાક દિવસ બાદ પેરિસમાં આની સાથે જોડાયેલો વધુ એક હુમલો થયો હતો. જેમાં 5 લોકોના જીવ ગયા હતા. આ હુમલા બાદ સમગ્ર ફાન્સમાં જિહાદી હુમલાનું ક્રમ શરુ થયો હતો.
મેગેઝીનના કવર પેજ પર મોહમ્મદના તે 12 કાર્ટુન છાપવામાં આવ્યા છે જેને શાર્લી એબ્ડોમાં પ્રકાશિત થતા પહેતા ડેનમાર્કના એક અખબારે છાપ્યા હતા. જેમાંથી એક કાર્ટુનમાં પેંગમ્બરને પાઘડીની જગ્યાએ બોમ્બ પહેરેલા બતાવ્યા હતા. ફ્રેન્ચ હેડલાઈનમાં કહેવામાં આવ્યું હતું કે આ કાર્ટુન માટે આટલું બધું’
સંપાદકનું કહેવું છે કે વર્ષ 2015માં થયેવા હુમલા બાદ લોકો પૈગમ્બરના તે કાર્ટુનોને પ્રકાશિત કરવાની માંગ કરતા રહ્યા છે.મેગેઝીનના સંપાદકે લખ્યું છે કે અમે હંમેશા આમ કરવાની ના પડી, એટલા માટે નહીં કે આ પ્રતિબંધિ છે. કાયદો અમને આમ કરવાની પરવાનગી આપે છે પણ આમ કરવા પાછળ એક સારુ કારણ હોવું જોઈતું હતુ. એવું કારણે જેનો કોઈ મતલબ હોય અને જેનાથી લોકોની વચ્ચે સ્વસ્થ દલીલ શરુ થઈ શકે. જાન્યુઆરી 2015માં થયેલા આતંકવાદી હુમલાના ટ્રાયલ શરુ થતા પહેલા અમને આ કાર્ટુન છાપવા જરુરી લાગ્યા.
ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મૈક્રોએ મંગળવારે કહ્યું કે વ્યંગ્ય પત્રિકામાં કાર્ટુન ફરી પ્રકાશિત કરવાના નિર્ણય પર તે કોઈ પણ પ્રકારની કોમેન્ટ નહી કરે. મૈક્રોંને કહ્યું કે ફ્રાન્સમાં હંમેશા અભિવ્યક્તિની આઝાદી રહી છે. તેમણે કહ્યું કે કોઈ પણ પત્રકાર અને ન્યૂઝ રુમના સંપાદીય પસંદગીને લઈને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવી રાષ્ટ્રપતિ માટે યોગ્ય નથી. કેમ કે અહીં પ્રેસની સ્વતંત્રતા સૌથી ઉપર છે. જો કે તેમણે કહ્યું કે ફ્રાન્સીસી નાગરિક એક બીજા માટે સન્માન બતાવે અને નફરત ફેલાવનારા સંવાદથી બચે.