IIT-કાનપુરે તાજેતરના ગાણિતિક મોડલ અને અભ્યાસના આધારે ભારતમાં ચોથા લહેરની કરી હતી આગાહી
ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર
કર્ણાટકના આરોગ્ય પ્રધાને આપ્યુ નિવેદન
ઓગસ્ટમાં ભારતમાં ચોથી લહેરની શક્યતા
હાલ દેશમાં કોરોનાના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. લોકો પહેલાની જેમ મન મૂકીને ફરી રહ્યા છે. સરકાર દ્વારા ભલે બધુ અનલોક કરવામાં આવ્યુ હોય પરંતુ માસ્ક પહેરવુ અને સામાજિક અંતરનું પાલન કરવુ અનિવાર્ય છે. લોકોના મનમાં એવુ જ છે કે કોરોના જતો રહ્યો. લોકોમાં હવે પહેલા જેવો ડર જોવા મળતો નથી. પરંતુ કોરોના ગયો તે સમજવુ ભૂલભરેલુ છે. કારણ કે કોરોનાની ચોથી લહેર પણ આવી શકે છે.
ભારતમાં કોરોનાની ચોથી લહેર આવશે ?
અમેરિકા અને બ્રિટન સહિત એશિયાઇ અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.આ જોતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના ચોથા મોજાની આશંકા સેવાઈ રહી છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે વિધાન પરિષદને જણાવ્યું છે કે ઓગસ્ટમાં ભારતમાં રોગચાળાની ચોથી લહેર જોવા મળી શકે છે.
કોરોનાના આ સબવેરિયન્ટના કેસ ભારતમાં પણ
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણા દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોન સબવેરિયન્ટ BA.2ના કેસ વધુ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ કોરિયામાં છે, જ્યાં દરરોજ કોરોનાના લગભગ પાંચ લાખ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના આ સબવેરિયન્ટના કેટલાક કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે.
હવે એલર્ટ થઇ જાવાની જરૂર
કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે વિધાન પરિષદમાં કહ્યું હતું કે ઓગસ્ટમાં દેશને ચોથી લહેરનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે ગયા મહિને હાથ ધરવામાં આવેલા ખાસ જીનોમ સિક્વન્સિંગ અભિયાનમાં દર્શાવવામાં આવ્યું હતું કે 89.6 ટકા નમૂનાઓમાં ઓમીક્રોન છે જ્યારે 10 ટકામાં ડેલ્ટા અને અન્ય પ્રકારો છે. ઓમિક્રોનના નમૂનામાં પણ 99.1 ટકા Ba.2 સબવેરિયન્ટ હતો. મહત્વનું છે કે ઓમિક્રોનનું સબવેરિયન્ટ ba.2 સૌપ્રથમ ફિલિપાઈન્સમાં મળી આવ્યું હતું અને હવે તે 40 જુદા જુદા દેશોમાં ફેલાયું છે
IIT-કાનપુરે આપી હતી ચેતવણી
IIT-કાનપુરે તાજેતરના ગાણિતિક મોડલ અને અભ્યાસના આધારે ભારતમાં ચોથા લહેરની આગાહી કરી હતી. તે જ યાદ કરતાં સુધાકરે કહ્યું કે રિપોર્ટ અનુસાર ભારતમાં ચોથી લહેર ઓગસ્ટમાં ટોચ પર પહોંચવાની શક્યતા છે. પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી કારણ કે અમે વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.
જો આ લક્ષણો હોય તો સાવધાન થઇ જજો
કેટલાક અભ્યાસો અનુસાર ઓમિક્રોન સબવેરિયન્ટ BA.2 ના બે વિશેષ લક્ષણો છે ચક્કર અને થાક. દર્દીઓમાં ચેપ લાગ્યાના ત્રણ દિવસ સુધી આ લક્ષણો હોઈ શકે છે. આ વેરિએન્ટ આંતરડાને વધુ અસર કરે છે, તેથી દર્દીઓને ઉબકા, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, ગરમી અને પેટનું ફૂલવું જેવા લક્ષણો પણ અનુભવી શકે છે. જો આપણે તેના સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ,