નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું. જેમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એપી સિંહે ગુનેગારોને મળવા માટે મંજૂરી માંગી છે.
વકીલને પવન - અક્ષને મળવાને મજૂરી મળી
પટિયાલા કોર્ટે ગુનેગારોની ફાંસીની તારીખ નક્કી કરી
અક્ષયનો એક વિકલ્પ બાકી છે હોવાનું વકીલનું રટણ
Nirbhaya Case: Delhi Court issues a fresh death warrant against the four convicts. They are to be hanged at 5.30 am on March 20, 2020 pic.twitter.com/MAOx5rVVGw
પટિયાલા કોર્ટે નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ જાહેર કર્યુ છે. જેમાં ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે 5.30 વાગે ફાંસી આપવામાં આવશે. ત્યારે ગુનેગારોના વકીલ એપી સિંહે પવન તથા અક્ષયને મળવાની મંજૂરી માંગી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. વકીલના કહેવા પ્રમાણે અક્ષય પાસે એક વિકલ્પ બાકી છે કે કેમ તે જાણી શકાય. તેમજ તેઓ અન્ય કોઈ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવા માંગતા હોય તો તે વાપરી શકે.
ગુરુવારે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ જજે ગુનેગાર અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાને મળવા માટે એ.પી. સિંહને મળવાની મંજૂરી આપી. નિયમ મુજબ, એ.પી. સિંહ પવન અને અક્ષય ઠાકુરને મળી શકે છે. કોર્ટે કહ્યું કે જેલ તંત્ર અમારી પાસે કોઈ માહિતી નથી એમ કહીને જવાબદારીમાંથી છટકી શકે નહીં. તમે ગુનેગારોને પુછો કે તેની કોઈ અરજી પેન્ડિંગ છે કે નહીં.
ન્યાયાધીશે તિહાર જેલ તંત્રને કહ્યું હતું કે તમારે ગુનેગારને કહેવું પડશે કે તેમની અરજીનું શું થયું છે સાથે સાથે કોર્ટે પણ આ મામલે માહિતી આપવી પડશે. આ સમય દરમિયાન એ.પી. સિંહે કહ્યું કે બીજી દયા અરજીનું શું હતું, તે કોઈ જણાવી રહ્યું નથી. જેલ તંત્ર ગુનેગાર અક્ષયને આ મામલે થયેલી કાર્યવાહી અંગે જણાવવા માટે જવાબદાર છે.
કોર્ટે કહ્યું કે જેલ તંત્રએ કોર્ટ અને અક્ષયને જાણ કરવી જોઇએ કે બીજી અરજી પર શું કાર્યવાહી કરવામાં આવી છે. ન્યાયાધીશે એ.પી. સિંહને આજે જેલમાં પવનને મળવા દે એવો આદેશ પણ કર્યો હતો. જેથી ગુનેગારો કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવા માગે છે કે નહીં તે જાણી શકે.
એ.પી. સિંહે કહ્યું હતું કે તેઓ અક્ષયને મળવા માંગે છે. કેમ કે રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરેલી દયા અરજીની સ્થિતિ હજી સ્પષ્ટ થઈ શકી નહોતી. જે બાદ ન્યાયાધીશે સરકારી વકીલને પૂછ્યું કે રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરવામાં આવેલી બીજી દયા અરજીની શું સ્થિતિ છે? તેણે કહ્યું કે તે આ અંગે તેમને કોઈ જાણ નથી.
એ.પી. સિંહે કહ્યું કે અમારી પાસે રિસીવિંગ છે. 25 ફેબ્રુઆરીએ જેલે કોપી આપી હતી. સરકારી વકીલે આ અંગે કહ્યું હતું કે આ કોઈ કાયદાકીય વિકલ્પ નથી. એ.પી. સિંહે કહ્યું, 'આપણા બંધારણમાં બીજી દયા અરજી માટેની જોગવાઈ છે.' સરકારી વકીલે અદાલતને જણાવ્યું હતું કે ગુનેગારોના તમામ કાયદાકીય વિકલ્પ પૂરા થઈ ગયા છે, તેથી ફાંસીની તારીખ નક્કી થવી જોઈએ.